વાઘબારસની સાથે આજથી દીપાવલીના મહાપર્વની શરૂઆત : ગાય માતા અને સરસ્વતી દેવીના પૂજનનું મહત્વ
આસો વદ અગિયારસને સોમવાર તારીખ ૨૮ ઓક્ટોબર આ દિવસે સવાર ના ૭.૫૨ સુધી અગિયારસ તિથિ છે ત્યારબાદ આખો દિવસ રાત્રી બરસ તિથિ છે આથી દરેક પંચાંગ પ્રમાણે આ દિવસે વાઘબારસ છે. આ દિવસે ગાયની પૂજાનું મહત્વ વધારે છે. એક માન્યતા પ્રમાણે આ દિવસે જ્યારે દેવતા અને દાનવો એ જ્યારે સમુદ્ર મંથન કરેલું ત્યારે કામધેનુ ગાય જે દિવસે નીકળેલ એ દિવસ વાઘ બારસ નો દિવસ હતો આથી આ દિવસે ગાય ની પૂજાનું મહત્વ વધારે છે ગાય તથા વાછરડાને શણગાર કરવો, ઘાસ નાખવું, પ્રદક્ષિણા ફરવી.
આ દિવસે જો પતિ પત્ની બન્ને સાથે ભેગા મળી અને વિષ્ણુ-લક્ષ્મીજીનું પૂજન કરે તો દામ્પત્ય જીવનમા મીઠાશ આવે છે. જે લોકોને સંતાન થતા ન હોય તો આ દિવસે પતિ પત્ની બંનેએ ભેગા મળે ગાયને પૂજા કરવી તથા વિષ્ણુ ભગવાનની લક્ષ્મીજી સાથે પૂજા કરવી
આ વર્ષે રમા એકાદશી તથા વાઘ બારસ બંને તહેવાર સાથે હોતા બંને તહેવારની પૂજા ઉપવાસ એકટાણુ કર્યા નું ફળ એક સાથે મળશે. શ્રીકૃષ્ણ ભગવાનના જન્મ પછી આ જ દિવસે યશોદા માતાએ ભગવાનને ગાયના દર્શન કરાવેલા. આ દિવસે કોઈપણ મહિલા અથવા પુરૂષ પોતાના પરિવારની સુખ-શાંતિ માટે ઉપવાસ અથવા એકટાણું રહી શકે છે.
ખાસ કરીને આ દિવસને વાક બારસ કહેવામાં આવે છે
વાક નો એક અર્થ વાણી થાય છે પરંતુ આ શબ્દ થોડો બદલાય અને કાળક્રમે આ તહેવારનું નામ વાઘબારસ પડી ગયેલું પરંતુ આ દિવસે ખાસ કરીને સરસ્વતી માતાજીની પૂજા નું મહત્વ વધારે છે આથી આ દિવસે સરસ્વતી માતાજી ની પૂજા ખાસ કરવી. જૂની પરંપરા પ્રમાણે આ દિવસે વ્યાપારી લોકો પોતાનું જૂનું દેવું પૂરું કરે છે અને નવા વર્ષની શરૂઆત કરે છે આમ દેવું પૂરું કરવા માટે આ દિવસ શ્રેષ્ઠ ગણાય છે