વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
આગામી 19 જૂનના રોજ યોજાનારી રાજ્યની કડી અને વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી, પંજાબના મુખ્યમંત્રી સહિતનાઓનો સમાવેશ થાય છે. બીજી તરફ આજે વિસાવદર બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલીયાએ અરવિંદ કેજરીવાલની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું.

ગોપાલ ઇટાલિયા આજે વિસાવદરમાં જન આર્શિવાદ યાત્રા યોજી હતી. અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આશીતીની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું વિશાળ. આપની જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. રોડ શો યોજ્યા બાદ ગોપાલ ઇટાલિયા ઉમેદવારી ફોર્મ ભરી વિસાવદર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી.
‘જો તમારામાં હિંમત હોય તો ગોપાલને તોડીને બતાવો : કેજરીવાલ
નોમિનેશન પછી, આપના નેતાઓએ એક વિશાળ રોડ શો યોજ્યો અને લોકોને અપીલ કરી કે ઇટાલિયાને જંગી બહુમતીથી જીતાડો. રોડ શો દરમિયાન, અરવિંદ કેજરીવાલે કહ્યું કે છેલ્લા 18 વર્ષથી વિસાવદરના લોકોએ ભાજપને જીતવા દીધી નથી. આજે, હું ભાજપને ચેલેન્જ કરું છું કે અમારા હીરો ગોપાલ ઇટાલિયાને તોડીને બતાવો, જો ભાજપ આમાં સફળ થશે તો હું રાજકારણ છોડી દઈશ

19 જૂને મતદાન થશે, 23મીએ મતગણતરી
વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં મતદાન 19 જૂને થશે જ્યારે મતગણતરી 23 જૂને થશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 2 જૂન છે અને ઉમેદવારીપત્રોની ચકાસણી 3 જૂને થશે. ઉમેદવારો ૫ જૂન સુધી પોતાના ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકશે. આ પેટાચૂંટણી અંગે, ત્રણેય મુખ્ય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આપ પોતપોતાના સ્તરે જીતનો દાવો કરી રહ્યા છે.
