રાજકોટના પનોતા પુત્રની વસમી વિદાયથી કુદરત પણ રડી પડ્યું, વિજયભાઈ રૂપાણીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલન થઈ ગયો છે. તેમના અંતિમ સંસ્કાર રાજકોટમાં રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. સવારે 12 જૂનના રોજ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અવસાન થયું હતું. ત્યારે આજે વિજયરૂપાણીના પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે પરિવારને સોંપવામાં આવ્યો હતો ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી વિજય રૂપાણીની શ્રદ્ધાંજલિ શરૂ કરવામાં આવી હતી જેમાં રાજકોટના લોકલાડીલા,રાજકોટના પનોતા પુત્રને શ્રદ્ધાંજલિ આપવા માટે માનવદરિયો ઉમટ્યો હતો.

રાજકોટના અનેકસ્થળે શ્રદ્ધાંજલિ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ત્યારબાદ તેમનો પાર્થિવદેહ નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સી. આર પાટિલ હજાર રહ્યા હતા અને વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ત્યારબાદ ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ રાજકોટના વિવિધ સ્થળેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી અને રામનાથ પરા સ્મશાન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
રાજકીય સન્માન સાથે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર
રાજકોટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી. આર પાટિલ તેમજ અનેક રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા.
ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં અંજલિ રૂપાણી
વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી અંજલિ રૂપાણીને સાંત્વના આપવા પહોંચ્યા હતા ત્યારે અંજલીબેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને સાંત્વના આપી હતી. CM ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહ, સી આર પાટીલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત રાજકીય અનેક આગેવાનો તેમજ સગાસંબધીઓ અને રાજકોટવાસીઓ તેમના નિવાસ્થાને પહોંચીને વિજય રૂપાણીના પાર્થિવદેહને પુષ્પાજલી અર્પી શ્રદ્ધાંજલિ અર્પી હતી
“વિજયભાઈ અમર રહો”
આ સમય દરમિયાન “વિજયભાઈ અમર રહો”ના નારા લાગ્યા હતા તેમજ લોકોએ ગુલાબની પાંખડીઓ-દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આર્પી હતી. પાર્થિવદેહ ઘરે પહોંચતા જ વિજયભાઈ અમર રહો, જબ તક સૂરજ ચાંદ રહેગા વિજયભાઈ તુમ્હારા નામ રહેગા, ભારત માતા કી જયના નાદ ગુંજી ઉઠ્યા હતાં તેમજ તેમની અંતિમયાત્રામાં પણ જબ તક સૂરજ ચાંદ રહેગા વિજયભાઈ તુમ્હારા નામ રહેગા, ભારત માતા કી જયના નાદ ગુંજી ઉઠ્યા હતાં.