વોઇસ ઓફ ડે રાજકોટ
શહેરના મોરબી રોડ પર સાગર પાર્કમાં રહેતા પરિણીતાનું પુત્રને જન્મ આપ્યાના 8માં દિવસે શ્વાસ ચડતા મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. માહિતી મુજબ મોરબી રોડ પર સાગર પાર્કમાં રહેતા સોનલબેન મેહુલભાઈ પરમાર(ઉ.વ.35)નામના પરિણીતાએ 8 દિવસ પૂર્વે પુત્રને જન્મ આપ્યો હતો.ત્યાર બાદ તેણીને શ્વાસ ચડવાની અને ઊંધો ગેસ થવાની તકલીફ રહેતી હતી.
જેથી તેણીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અને ત્યાર બાદ સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. અહી તેણીએ ટૂંકી સારવારમાં દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. મૃતક સોનલબેનને સંતાનમાં એક દીકરી હતી. અને 8 દિવસ પૂર્વે જ પુત્રની પ્રાપ્તિ થયા બાદ તેમનું મોત થતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે.