Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટ્રેન્ડિંગ

૧૨ લોકોની હત્યા કબુલ્યા પછી પોલીસ કસ્ટડીમાં મોત

Sun, December 8 2024

પોતે મહાણી મેલડી માતાનો ભૂવો હોવાનો દાવો કરી એકના ચાર કરવાની લાલચ આપતો અને પછી દારૂમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવીને હત્યાને અંજામ આપતો

રિમાન્ડ દરમિયાન વઢવાણના નવલસિંહ ચાવડાની તબિયત લથડી અને હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત મળ્યુ
રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ત્રણ-ત્રણ, પડધરી, વાંકાનેર અને અંજારમાં એક-એક હત્યા કરી છે : દાદી અને કાકાને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા

એક અત્યંત ચોંકાવનારી ઘટનામાં અમદાવાદના એક ફેક્ટરીના માલિકની હત્યાના ગુનામાં પકડાયેલા મૂળ વઢવાણના એક ભુવાએ અમદાવાદ પોલીસની પૂછપરછ દરમિયાન પોતે એક-બે નહી પરંતુ બાર-બાર હત્યા કરી હોવાની કબુલાત આપતા પોલીસ સ્તબ્ધ થઇ ગઈ હતી. આ કબુલાત આપ્યા બાદ અચાનક આ ભુવાને વોમિટ થઇ હતી અને તે મોતને ભેટ્યો હતો. આ ભુવાએ મરતા પહેલા પોતે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ત્રણ-ત્રણ, અંજાર, વાંકાનેર અને પડધરીમાં એક-એક તથા અમદાવાદના અસલાલીમાં એક અને બાકી પોતાના પરિવારજનોની મળીને કુલ ૧૨ લોકોની હત્યા કર્યાની કબુલાત આપી હતી. અમદાવાદ ઝોન-૭નાં ડી.સી.પી. શિવમ વર્માએ પત્રકારોને કહ્યું હતું કે, નવલસિંહ ચાવડા નામનો આ ભૂવો પોલીસ પાસે રિમાન્ડ ઉપર હતો અને રવિવારે સવારે અચાનક તેને વોમિટ થઇ હતી. આ પછી ૧૦૮ મારફત તેને હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ રસ્તામાં જ તેનું મોત થઇ ગયુ હતુ.

અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા ચોંગોદરમાં એબીઆર કોસ્મેટિક ટ્રેડિંગ ફેક્ટરીના માલિક અભિજિત સિંહ રાજપૂતને ભુવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિ દ્વારા એક કા ચાર કરી આપવાની લાલચ આપી હતી. ભુવાએ ફેક્ટરીના માલિકને 1 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે સનાથલ ખાતે રૂપિયા લઈને બોલાવ્યો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે માલિકને દારુમાં ઝેરી પદાર્થ ભેળવીને વિધિના બહાને પીવડાવી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. ફેક્ટરીના માલિકની હત્યા કરી ભુવા સમગ્ર રૂપિયા લઈ નાસી જવાની તૈયારીમાં હતો. જોકે, સમગ્ર મામલાની સરખેજ પોલીસને બાતમી મળતાં તે સમયસર ઘટના સ્થળે પહોંચી અને ફેક્ટરીના માલિકનો જીવ બચાવી લીધો હતો.

આ મામલામાં સરખેજ પોલીસે મૂળ વઢવાણનાં નવલસિંહ ચાવડાની ત્રીજી ડિસેમ્બરે ધરપકડ કરીને ૧૦ તારીખ સુધી રિમાન્ડ ઉપર લીધો હતો. રિમાન્ડ દરમિયાન તેની પૂછપરછ થઇ હતી. આ દરમિયાન રવિવારે સવારે અચાનક તેની તબિયત લથડી અને મોતને ભેટ્યો હતો. જો કે આ પૂર્વે આ ભુવાએ પોલીસ પૂછપરછમાં જે કબુલાત આપી હતી તે અત્યંત ચોંકાવનારી હતી.

નવલસિંહ ચાવડા પોતે ભુવો હતો અને તાંત્રિક વિધિના બહાને લોકોને ફસાવતો હતો. ચાર ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપતો હતો અને પછી તેની પાસેથી રૂપિયા મેળવી દારૂમાં સોડીયમ નાઈટ્રાઈટ ભેળવી હત્યા કરી નાખતો હતો.

આ ભુવાએ પોતાના જ પરિવારના દાદી અને કાકાની પણ હત્યા કરી નાખી હતી તેવું પોલીસ કબુલાતમાં જણાવ્યુ હતુ.

સરખેજ પોલીસે તેની ધરપકડ કર્યા પછી તપાસાર્થે તેને વઢવાણ પણ લઇ ગઈ હતી અને કેટલીંક ઘટનાઓનું રી કન્સ્ટ્રકશન કરીને તપાસ પણ કરી હતી. પોલીસ તપાસ માટે નવલસિંહના મઢમાં પણ ગઈ હતી. નવલસિંહે જે કલરની દુકાનેથી સોડિયમ નાઈટ્રેટ કેમિકલ ખરીદ્યું હતું ત્યાં પણ પૂછપરછ હાથ ધરી હતી.

મોજે મસાણી નામની યુટ્યુબ ચેનલ બનાવી હતી

પોલીસને નવલસિંહ ચાવડા એટલે કે ભુવાની અનેક વર્તણુક શંકાસ્પદ જણાઈ આવી હતી. આ ભૂવાએ યુ-ટ્યુબ પર મોજે મસાણી નામની ચેનલ બનાવી હતી. જેમાં તાંત્રિક વિદ્યા કરતા વીડિયો પણ શેર કરવામાં આવ્યા હતા. ભાવેશ નામનો યુવક તેની યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરતો હતો. થોડા સમય પહેલા ભાવેશનું શંકાસ્પદ મોત થયું હતું. પોલીસે રિમાન્ડ અરજીમાં એવી આશંકા સેવી હતી કે, આરોપીએ તાંત્રિક વીધી માટે નર બલી ચઢાવ્યાની શક્યતા છે.

૧૨ હત્યાનુ રહસ્ય બહાર નહી આવે
હત્યાના પ્રયાસમાં રિમાન્ડ ઉપર રહેલા નવલસિંહ ચાવડાનુ મોત થતા હવે ૧૨ જેટલી હત્યાનું રહસ્ય ક્યારેય બહાર નહી આવે. પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર, રિમાન્ડ દરમિયાનની પૂછપરછ દરમિયાન આ ભુવાએ પોતે હત્યાની કબુલાત આપી હતી પરંતુ કોની કોની હત્યા કરી હતી તેની વિગતો મેળવવાની બાકી હતી. હવે તેનુ મોત થઇ ગયુ છે તેથી હત્યાનો ભોગ બનનારના નામ મેળવવા મુશ્કેલભર્યા બનશે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં રાત્રિના ટ્રાફિક પોલીસ ઘોર નિદ્રામાં !! 

Next

ગુજરાતમાં પ્રથમવાર રાજકોટના 413 સ્કાઉટ એન્ડ ગાઈડને મળશે રાજ્યપાલ એવોર્ડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
New Rules in August : LPG, UPI થી FASTag સુધી…આ 7 મોટા ફેરફાર તમારા ખિસ્સાને કરશે અસર, જાણો શું બદલાશે
13 મિનિટutes પહેલા
ત્રણ હજાર કરોડના લોન કૌભાંડમાં 5 ઓગસ્ટે હાજર થવા અનિલ અંબાણીને ED નું સમન્સ
38 મિનિટutes પહેલા
ટ્રમ્પે પાકિસ્તાન પરનો ટેરિફ 29 ટકાથી ઘટાડી 19 ટકા કર્યો
41 મિનિટutes પહેલા
શું સલમાન ખાનની રાજકારણમાં એન્ટ્રી? ભાઈજાને ઇન્સ્ટા પર પોસ્ટ શેર કરતા અનેક ચર્ચાએ જોર પકડ્યું, જુઓ અભીનેતાનો લુક
17 કલાક પહેલા
Categories

નેશનલ

2307 Posts

Related Posts

આજથી ભારત-ઝીમ્બાબ્વે વચ્ચે ટી-૨૦ શ્રેણી
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
યુપીમાં બપોરે 3 વાગ્યા સુધી 44% મતદાન, ત્રિપુરા-મણિપુરમાં 60 ટકાથી વધુ મતદાન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોને કેટલી પાક નુકશાન સહાય ચૂકવાઈ ?? વિધાનસભામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી માહિતી
ગુજરાત
5 મહિના પહેલા
26મીએ રાજકોટના ડેથઝોન શરતભંગ કેસની સુનાવણી
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર