ભારતમાં ફરી કોરોનાની એન્ટ્રી : કેન્દ્ર સરકારે લોકોને કર્યા એલર્ટ, જાણો કયા રાજ્યમાં કેટલા કેસ નોંધાયા
દેશમાં અને દુનિયામાં ભારે તબાહી અને માનવખુવારી કરી ચૂકેલ મહારોગ કોરોના ફરી એકવાર વિનાશ સર્જી શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોવિડ-19 ના ઘણા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે આ અંગે અપડેટ શેર કર્યું છે. પીટીઆઈના અહેવાલ મુજબ, 19 મે સુધીમાં દેશમાં કોવિડના 257 સક્રિય કેસ નોંધાયા છે. ભારતની સાથે, અન્ય દેશોમાં પણ કેસ વધવા લાગ્યા છે. મુંબઇમાં 53 પોઝિટિવ કેસ મળ્યા છે.
એશિયામાં કોવિડ 19 ના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આમાંના મોટાભાગના કેસો JN1 પ્રકારના છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 12 મે સુધીમાં દેશમાં 164 કેસ નોંધાયા છે. કેરળમાં સૌથી વધુ 69 કેસ નોંધાયા છે. કોવિડ 19 એ મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પણ દસ્તક આપી છે.
મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પણ ઘણા કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારે આ અંગે એલર્ટ જારી કર્યું છે. આમ હવે ફરી માનવ ઘાતક મહારોગ નવા રૂપ સધ આવી રહ્યો છે અને માનવ ઘાતક મહારોગ દેખ દઈ રહ્યો છે એન તે માટે ફરીવાર સાવધાની રાખવાની જરૂર પડી છે.
ક્યાં કેટલા કેસ?
દેશમાં સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે. આ યાદીમાં મહારાષ્ટ્ર બીજા સ્થાને છે. તમિલનાડુમાં 34 કેસ નોંધાયા છે. કર્ણાટકમાં 8 નવા કેસ નોંધાયા, જ્યારે ગુજરાતમાં 6 અને દિલ્હીમાં 3 કેસ નોંધાયા. હરિયાણા, રાજસ્થાન અને સિક્કિમમાં એક નવો કેસ નોંધાયો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કેરળમાં 95 સક્રિય કેસ છે. કોરોનાની પ્રથમ લહેર પણ કેરલથી જ શરૂ થઈ હતી.
ગુજરાતમાં એક સપ્તાહમાં 6 નવા કેસ નોંધાયા
ગુજરાતની વાત કરવામાં આવે તો હાલ 7 એક્ટિવ કેસ છે. છેલ્લા એક સપ્તાહમાં 6 નવા કેસ નોંધાયા છે. છેલ્લાં એક સપ્તાહમાં ગુજરાતમાંથી એક દર્દી કોરોનાથી સાજો થયો છે.