મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 7મી ફેબ્રુઆરીએ જશે પ્રયાગરાજ : મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરશે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં દરરોજ લાખો ભક્તો પહોંચી રહ્યા છે અને પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાકુંભ પહોંચ્યા હતા અને સંગમમાં ડૂબકી લગાવી હતી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે શુક્રવાર, તા. 7મી ફેબ્રુઆરીએ જશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, તેઓ શુક્રવારે બપોરે 12:30 કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. આ પૂર્વે તેઓ સવારે 9:30 કલાકે પ્રયાગરાજ પહોંચીને બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન પણ કરવાના છે.
મુખ્યમંત્રી પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે.