Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

Chaitra Navratri 2025 : આ તારીખથી શરૂ થશે ચૈત્ર નવરાત્રી, જાણો ઘટ્ટ સ્થાપનામાં મુહૂર્તની યાદી

Tue, March 25 2025


માતાજી હાથી ઉપર સવાર થઈ ને પધારશે ,સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવશે

30 માર્ચ ચૈત્ર સુદ એકમને રવિવારના દિવસથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થશે ,જ્યારે ૬ એપ્રિલને રવિવારના દિવસે ચૈત્ર નવરાત્રીની પુર્ણાહુતી થશે, આમ,રવિવારે ચૈત્ર નવરાત્રી શરૂ થતા હોવાથી નવદુર્ગા માતાજી હાથી ઉપર સવાર થઈને પધારશે, હાથીને સુખ સમૃદ્ધિ, શક્તિ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે  નવમું નોરતું રવિવારે હોવાથી માતાજીની વિદાય પણ હાથી ઉપર સવાર થઈને વિદાય લેશે આને પણ શુભ માનવામાં આવે છે આમ રવિવારે આગમન અને રવિવારે જ વિદાય આથી આ વર્ષે ચૈત્ર નવરાત્રી અતિ ઉત્તમ અને શુભ ફળ આપનાર બનશે

વર્ષમાં ચાર નવરાત્રી આવે છે તેમાં ચૈત્ર નવરાત્રી ને રામ ભગવાન ના નોરતા માનવામા આવે છે.તારીખ ૨ એપ્રિલ અને બુધવારે શ્રી પંચમી છે ,આથી આ દિવસે માતા લક્ષ્મીજીની પૂજા શ્રી યંત્રની પૂજા કરવી ઉત્તમ રહેશે.૫ એપ્રિલ ને શનિવારે દુર્ગાષ્ટમી છે આ દિવસે પણ કુળદેવીની પૂજા માતા નવદુર્ગા ની પૂજા કરવી ઉત્તમ ફળ આપનાર બનશે ચૈત્ર નવરાત્રીમાં રામનવમીના દિવસે આખો દિવસ અને રાત્રી રવિપુષ્યામૃત યોગ છે.જેથી આ દિવસ પૂજા, પાઠ, જપ, તપ અને ખરીદી માટે ઉત્તમ ગણાશે

ચૈત્ર નવરાત્રી દરમિયાન રામચરિત્ર માનસના પાઠ કરવા સુંદરકાંડના પાઠ કરવા હનુમાન ચાલીસાનાં પાઠ કરવા પણ ઉત્તમ ગણાય છે ચૈત્ર નવરાત્રીને રામ ભગવાનના નોરતા ગણવામાં આવે છે તે ઉપરાંત કુળદેવીને પૂજા કરવી કુળદેવીની  ના જપ કરવા ગુરુ મંત્ર ની માળા કરવી મંત્ર ના જપ કરવા પણ ઉત્તમ ફળ આપનાર બને છે તે ઉપરાંત ચૈત્ર નવરાત્રી દરમિયાન નવર્ણ મંત્ર ના જપ કરવા પણ ઉત્તમ ફળ આપનાર ગણાય છે


આ વર્ષે એક નોરતાની ઘટ,સોમવારે બે નોરતા ભેગા

આ વર્ષે ચૈત્ર નવરાત્રી મા એક નોરતુ ઘટે છે સોમવારે બીજું નોરતું અને ત્રીજું નોરતું ભેગા છે.ચૈત્ર નવરાત્રી દરમિયાન દરરોજ   માતાજીની પૂજા કરી વિવિધ ભોગ ધરાવી શકાય .

રવિવારે પહેલું નોરતું છે.શૈલપુત્રીની પૂજા, ખીર તથા પૂરીનો ભોગ લગાવી શકાય.સોમવારે બીજું નોરતું અને ત્રીજું નોરતુ ભેગા હોવાથી બપોરના માં બ્રહ્મચારીની પૂજા કરી અને તેની વાનગી ધરાવી અને સાંજના દિવસ આથમ્યા પછી માં ચંદ્રઘંટા ની પૂજા કરી તેની વાનગી ધરાવી,સોમવારે બીજું નોરતું:બ્રહ્માચારિણી માતાની પૂજા- દૂધના પેંડાની મીઠાઈ ધરવી.સોમવારે ત્રીજું નોરતું: ચંદ્રઘંટાની પૂજા શ્રીફળ, તેમાંથી બનાવેલી વાનગી ધરવી.મંગળવારે ચોથું નોરતું: કુષ્માંડા માતાજીની આરાધના સાકરવાળું મીઠું દૂધ ધરવું.

બુધવારે પાંચમું નોરતું :સ્કંદ માતાની પૂજા – તલની વાનગી ધરાવવી.
ગુરુવારે છઠ્ઠું નોરતું : કાત્યાયની માતાજીની પૂજા – ખીર અને પૂરી, મીઠું દૂધ ધરવું.
શુક્રવારે સાતમું નોરતું: કાલરાત્રિની આરાધના કરવી સાકરની પ્રસાદી ધરવી.શનિવારે આઠમું નોરતું મહાગૌરીની પૂજા કરી ખીર તથા પુરીનો ભોગ લગાવી શકાય.રવિવારે નવમું નોરતું સિદ્ધિદાત્રી માતાજીની પૂજા કરવી, પંચામૃત નો ભોગ લગાવવો.

ચૈત્ર નવરાત્રીમાં ઘટ્ટ સ્થાપનામાં મુહૂર્ત ની યાદી

30 માર્ચ રવિવારે સવાર ના
ચલ ૮.૧૫ થી ૯.૪૭
લાભ ૯.૪૭ થી ૧૧.૧૯
અમૃત ૧૧.૧૯ થી ૧૨.૫૧


બપોરે અભિજીત મુહૂર્ત ૧૨.૨૭ થી ૧.૧૬ તેમ શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન) જણાવે છે. 

Share Article

Other Articles

Previous

સૌરાષ્ટ્રમાં દર વર્ષે 250 લીવર થાય છે ટ્રાન્સપ્લાન્ટ : હજુ ઓર્ગન ડોનેશન અવેરનેસ જરૂરી

Next

રાજકોટ-ભુજ ટ્રેનને અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
જગતના તાત માટે ખુશીના સમાચાર : ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત, ભૂપેન્દ્ર પટેલે X પર પોસ્ટ કરી આપી માહિતી
9 કલાક પહેલા
“શું દર મહિને 4 લાખ રૂપિયા પૂરતા નથી?” મોહમ્મદ શમીની પત્નીએ 10 લાખ રૂપિયાની માંગ કરતાં સુપ્રીમે કર્યો સવાલ
9 કલાક પહેલા
આજે મધ્યરાત્રીથી આકાશમાં લીઓનીડ્સ ઉલ્કાવર્ષાનો અદ્ભૂત નજારો જોવા મળશે: નરી આંખે જોઈ શકાશે ઉલ્કાવર્ષા
9 કલાક પહેલા
GST ઘટાડાનો સૌથી વધુ લાભ વાહનો ઉપર : વીમો બિલ્લી પગે મોંઘો થઇ ગયો, જાણો ટેક્સ ઘટાડાનો કોને થયો ફાયદો?
9 કલાક પહેલા
Categories

નેશનલ

2629 Posts

Related Posts

રાજકોટ : દશામાના વ્રત નિમીતે મંડપ નાખવા ગયેલા પિતા-પુત્ર પર 4 શખ્શોનો છરી વડે હિચકારો હુમલો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ચુંટણી પહેલા સરકાર કયો નિર્ણય લઈ શકે છે ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શિયાળામાં માત્ર આપનું શરીર જ નહીં કારને પણ સુરક્ષિત રાખવા શું કરવું ? જાણો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ટ્રમ્પ પરના હુમલા અંગેની એક ખ્રિસ્તી પાદરીની આગાહી અક્ષરશ: સાચી પડી
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર