રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી એટલે કે રેરાનાં ચેરપર્સન તરીકે સીનીયર આઈ.એ.એસ. અધિકારી શ્રીમતી અનીતા કરવલે આજે ચાર્જ સંભાળી લીધો છે. અનિતા કરવલ 1988 ની બેચના આઈએએસ ઓફિસર છે.
અમરજીતસિંહ નો કાર્યકાળ પૂર્ણ થયા બાદ લાંબા સમયથી આ પોસ્ટ ખાલી હતી. જો કે હજુ બે સભ્યોની જગ્યા ખાલી છે અને તે પણ ટૂંક સમયમાં ભરાઈ જશે તેવું સુત્રોએ જણાવ્યું છે. ચેરપર્સન તરીકે શ્રીમતી અનિતા કરવલની નિમણુક થયા બાદ હવે બિલ્ડરોની અભેરાઈ ઉપર ચડી ગયેલી ફાઈલો નીચે ઉતરશે તેવી આશા રાખવામાં આવે છે. અનિતા કરવલ દિલ્હી ડેપ્યુટેશન ઉપર હતા અને થોડા સમય પહેલા નિવૃત થયા છે. તેમની નિવૃત્તિ પછી તેમણે રાજ્ય સરકારે રેરાના ચેરપર્સન બનાવ્યા હતા.