અમદાવાદ વિમાન દુર્ઘટના : મૃતકોના પરિવારજનોને 1.54 કરોડનો વીમો મળશે
અમદાવાદની વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા પ્રવાસીઓના પરિવારને તાતા ગ્રુપે એર ઇન્ડિયા વતી એક -એક કરોડ રુપિયા વળતર આપવાની જાહેરાત કરી છે પરંતુ આ હતભાગી પ્રવાસીઓના પરિવારજનોને હજુ બીજુ વળતર પણ મળશે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ વિમાનનો વીમો લેવામાં આવ્યો હતો અને આ વિમાના વળતર તરીકે પ્રત્યેક મુસાફર દીઠ 1.54 કરોડ રૂપિયા જેવું વળતર આપવામાં આવશે.
મુસાફરો માટે અંતિમ વળતર 1999ના મોન્ટ્રીયલ કન્વેન્શન હેઠળ નક્કી કરવામાં આવશે. વળતરની ગણતરી SDRs નો ઉપયોગ કરીને કરવામાં આવે છે. એક મુસાફર દીઠ 1,28,821 સ્પેશીયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR) સુધી વળતર ચૂકવી શકાય છે.ઓક્ટોબર 2024 સુધીના રેઈટ અનુસાર, આ રકમ 1.33 ડોલર પ્રતિ SDR હોય છે. અર્થાત ભારતીય રૂપિયામાં અંદાજે ૧૨૦ રૂપિયા થાય છે. આ પ્રમાણે હિસાબ કરીએ તો જીવ ગુમાવનારનાં પરિવારજનોને અંદાજે એક કરોડ ચોપન લાખ રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે.
આ પણ વાંચો : વિજયભાઈને યાદ કરીને PM થયા ભાવુક : કહ્યું-તેઓ આપણા વચ્ચે ન રહ્યા તે માનવા મારું મન તૈયાર નથી, પરિજનોને મળીને સાંત્વના પાઠવી
ટાટા ગ્રુપની વીમા કંપની તેના વિદેશી ભાગીદાર, અમેરિકાના AIG સાથે આ રકમ ચૂકવશે. એર ઇન્ડિયાએ 1 એપ્રિલના રોજ બહુરાષ્ટ્રીય કંપની AIG સાથે તેની 20 બિલિયન ડોલર એટલે કે 171,000 કરોડ રૂપિયાની વીમા પોલિસી રિન્યૂ કરાવી હતી. એર ઇન્ડિયા પોલિસી માટે પ્રાથમિક વીમા કંપની છે. ટાટા AIG જનરલ ઇન્શ્યોરન્સ, ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ, ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ અને અન્ય PSUs જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ છે. એરલાઇને 300 થી વધુ વિમાનોનો વીમો લેવા માટે 30 મિલિયન ડોલરનું પ્રીમિયમ ચૂકવ્યું હતું.
હોવડેન ઇન્ડિયાના સીઈઓ અને એમડી. અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે ડ્રીમલાઇનર માટેની રકમ ઉંમર અને અન્ય પરિબળોના આધારે 211 મિલિયન ડોલરથી 280 મિલિયન ડોલરની વચ્ચે હોઈ શકે છે. સામેલ વિમાન 2013 મોડેલનું હતું અને વર્તમાન માહિતીના આધારે, 2021 માં લગભગ 115 મિલિયન ડોલરનો વીમો લેવામાં આવ્યો હતો.