કહેવાય છે કે માતાથી મોટું જગતમાં કોઈ નથી. માતાને જ બાળકની પ્રથમ ગુરુ કહેવામાં આવે છે. એક માતાને પોતાના બાળકથી વહાલું કઈ હોતું નથી ત્યારે એક હૈયું હચમચાવી દેતી ઘટના સામે આવી છે જેમાં સગી જનેતાએ માસૂમ બાળકીને કુવામાં ફેંકીને હત્યા નીપજાવી દેતા ચકચાર મચી જવા પામી છે. બાળકી જન્મથી જ શ્વાસ ની તકલીફ હોય રાત્રીના રડતી હોય સુવા ના દેતી હેરાન કરતી હતી ત્યારે સગી જનેતાએ માસૂમને મોતને ઘાટ ઉતરતા પોલીસ માતા સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હાડટોડા ગામની છે જ્યાં ખેત મજુર પરિવારની ૧૦ મહીનાની બાળકીનું કથિત અપહરણ થયું હોવાની પિતાએ ધ્રોલ પોલીસ સ્ટેશન ફરિયાદ નોધાવતા પોલીસે બાળકીની શોધખોળ માટે પી.એસ.આઈ પી.જી પનારેએ અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. ત્યારે આ મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસના ચોંકાવનારા ખુલાસામાં અપરહણ ની સ્ટોરી ખોટી હોય અને સગી જનેતા જ માસુમ બાળકીની હત્યા કરીને વાડીના કુવામાં ફેંકી દીધી હોવાનું સામે આવતા પોલીસે અલગથી હત્યાની કલમ હેઠળ ગુન્હો નોધીને માસુમ ખુશી નામની બાળકીને મોતને ધાટ ઉતારનાર માતા સંગીતાબેન કાળુભાઈ મીનાવા સામે હત્યા નો ગુનો નોંધ્યો છે.
શું છે સમગ્ર મામલો ??
ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામે વીરેન્દ્રસિહ જાડેજાની વાડીમા ભાગીયા તરીકે એમ.પી. અલીરાજપુરના બળદા ગામના ખેતમજૂરી કામ કરતા કાળુભાઈ મીનાવા (ઉ.વ 33)ની ખુશી નામની 10 માસની બાળકીનું અપહરણ કરી ગયાની ધ્રોલ પોલીસમાં બાળકીના પિતાએ ફરિયાદ કર્યા બાદ પોલીસ હરકતમાં આવીને અલગ અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં 10 માસની બાળકીનો કુવામાથી મૃતદેહ મળી આવતા દોડધામ મચી ગઈ હતી બાળકીનું મૃત્ય થયુ હતુ પોલીસે કબજો સંભાળી પી.એમ માટે મોકલી આપવામાં આવી હતી.
પોલીસે પ્રાથમિક તપાસમાં 10 માસની બાળકીને કોઈ ઉપાડીને કૂવામાં ફેંકી દીધી હોવાની આશંકાએ બાળકીના પરિવાર શંકા જતા ઉંડાણ પૂર્વક તપાસ કરતા માસુમ બાળકીની જનેતાએ જ કૂવામાં ફેંકીને હત્યા નિપજાવી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.
સગી જનેતાએ બાળકીની શ્વાસની તકલીફના કારણે મોતને ઘાટ ઉતારી
માસુમ બાળકીની જન્મ થયો ત્યાર ની શ્વાસની તકલીફ હતી. બાળકી રાત્રે રડતી હોય સુવા ના દેતી અને હેરાન કરતી ત્યારે માતાએ બાળકીને બીમારીમાથી કાયમી છુટકારો આપવામાં માટે કુવામાં ફેંકી દીઘાનુ પોલીસ તપાસમાં ખૂલ્યું હતું. ધ્રોલ પોલીસે મૃતક બાળકીના પિતા કાળુભાઈ મીનાવાએ પોલીસમા ફરિયાદના નોધાવી ફરિયાદના આધારે સગી જનેતા સંગીતા મીનાવા સામે હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની ધ્રોલ પોલીસ પી.એસ.આઈ પી.જી પનારા, તથા લાખાભાઈ, સહિત ધ્રોલ પોલીસ સ્ટાફ દ્રારા તપાસ હાથ ધરી છે.