રાહુલ હવે ગુજરાતથી મેઘાલય સુધી ભારત જોડો યાત્રા કરશે
કોંગી નેતા નાના પટોલેએ મીડિયાને આપી માહિતી, યાત્રાના બીજા તબક્કા માટે તૈયારી શરૂ
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
કોંગી નેતા રાહુલ ગાંધી ની સાંસદી પાછી મળી ગયા બાદ કોંગ્રેસ હવે એક્શન મોડમાં દેખાઈ રહી છે. પાર્ટી દ્વારા એવું એલાન કરવામાં આવ્યું છે કે ટૂક સમયમાં જ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો શરૂ કરશે અને આ વખતે ગુજરાતથી યાત્રા શરૂ કરશે. આ યાત્રા ગુજરાતથી મેઘાલય સુધી હશે.
મહારાષ્ટ્ર કોંગીના પ્રમુખ નાના પટોલે એ આ માહિતી આપી છે. એમણે કહ્યું છે કે ભારત જોડો યાત્રાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો એટલા માટે હવે બીજી યાત્રા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
એમણે એવી માહિતી પણ આપી હતી કે રાહુલ ગાંધી જ્યારે યાત્રા પર નીકળશે ત્યારે જ મહારાષ્ટ્ર કોંગીના નેતાઓ પોતાના રાજ્યમાં આવી જ યાત્રા પર નીકળશે. રાહુલે પહલી યાત્રા પણ ખૂબ લાંબી કરી હતી અને સમાજના દરેક વર્ગના લોકોને મળ્યા હતા.
આ એલાન બાદ ભાજપ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. મહરાષ્ટ્ર ભાજપના નેતા માધવ ભંડારી એ કહ્યું છે કે રાહુલની ભારત જોડો યાત્રા એક વિફળ યાત્રા હતી. કારણ કે યાત્રા બાદ અનેક નેતાઓએ પાર્ટી છોડી દીધી હતી.
રાહુલ પ્રથમ યાત્રામાં 136 દિવસ સુધી ચાલ્યા હતા. 2022 ના 7 સેપ્ટેમ્બરના રોજ કન્યાકુમારીથી શરૂઆત કરી હતી. યાત્રા 12 રાજ્યોમાં ફરી હતી.