ધોની-કોહલી કરતાં રોહિત ‘ચતુર’ કેપ્ટન !!
બન્ને કરતાં રોહિત સ્ટ્રોંગ પણ એટલો જ છે: અશ્વિન
ચતુર’ કેપ્ટન છે.
નવીદિલ્હી ટીમ ઈન્ડિયાના અનુભવી સ્પિનર આર.અશ્વિને તાજેતરમાં જ ધોની, કોહલી અને રોહિત શર્માની કેપ્ટનશિપની ખાસિયત અંગે જણાવ્યું હતું.૨૦૧૦માં આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કરનારા અશ્વિને આ ત્રણેય કેપ્ટનની આગેવાનીમાં ક્રિકેટ રમ્યું છે. જો કે અશ્વિનનું માનવું છે કે ધોની અને કોહલી કરતાં રોહિત સૌથી વધુ
ધોનીને લઈને અશ્વિને કહ્યું તેની આગેવાનીમાં ખેલાડીને ઘણી જ સ્થિરતા મળે છે. તે જ્યારે ખેલાડીને તક આપે છે તો લાંબું રમાડે છે. જો તમે રવીન્દ્ર જાડેજા અથવા સુરેશ રૈનાને જુઓ તો તેણે જાડેજાને ફિનિશનરની ભૂમિકામાં બહુ સારી રીતે તૈયાર કર્યો છે અને અંત સુધી તેને એ જ ભૂમિકા માટે રાખ્યો હતો. આમ થવાથી ભારતને ફાયદો પણ મળ્યો છે અને જાડેજા આજે એક શ્રેષ્ઠ ઑલરાઉન્ડર છે.
કોહલીની આગેવાનીને લઈને અશ્વિને કહ્યું કે વિરાટ પ્રેરણાદાયી છે. તે ખુદ કામ કરીને અને તેને હાંસલ કરીને એક ઉદાહરણ સેટ કરે છે. તે આગળ રહીને લીડ કરે છે. તે ટીમ પાસે જે અપેક્ષા રાખે છે તે તેને તે ખુદ કરીને બતાવે છે. જો કે અશ્વિને આ બન્ને કરતાં ચતુર કેપ્ટન રોહિત શર્માને ગણ્યો હતો. તેનું માનવું છે કે કોહલી-ધોની પણ ટેક્નીકલી સ્ટ્રોંગ છે પરંતુ રોહિત તેના કરતા વધુ છે.
રોહિત ટીમના માહોલને એકદમ હળવો રાખે છે સાથે સાથે તે રણનીતિ ઉપર બહુ જ ધ્યાન આપે છે. કોઈ મોટી મેચ અથવા સિરીઝ આવી રહી છે તો તે એનાલિટિક્સ ટીમ અને કોચ સાથે બેસીને તૈયારી કરશે જેમ કે બેટરની કમજોરી શું છે, બોલરની યોજના કઈ છે.