ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં રોહિત જ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન
ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ હવે ટીમ ઈન્ડિયા આઈપીએલ રમશે અને પછી જૂનમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમવા જશે. ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે અને ઑસ્ટે્રલિયા સામે તેના ઘરમાં હારી હતી. આ બન્ને હાર છતાં રોહિત શર્માને જ ટીમની કમાન સોંપવાનો નિર્ણય લેવાઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઑસ્ટે્રલિયા પ્રવાસે ખરાબ પ્રદર્શન બાદ રોહિતના ટેસ્ટ કરિયર પર સવાલ ઉભા થયા હતા પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીમાં મળેલી જીત બાદ તેની જગ્યા યથાવત રહેશષ. બીસીસીઆઈ અને પસંદગી સમિતિ રોહિતને વધુ એક મોટા પ્રવાસે ટીમની કમાન સોંપવા મન બનાવી ચૂકી છે. રોહિતે પણ ટેસ્ટ ક્રિકેટમાં યથાવત રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.