અમને વિવાદમાં ન ધકેલો: ‘પનોતી’ નિવેદન મુદ્દે પૂછાતાં જ વિફર્યો શમી
ક્રિકેટરોને આ વાત સાથે કોઈ જ લેવા-દેવા નથી
વર્લ્ડકપ ફાઈનલમાં ઑસ્ટે્રલિયા વિરુદ્ધ ભારતે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. આ ખાસ મેચમાં સંયોગ એવો બન્યો હતો કે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટે્રલિયાના નાયબ વડાપ્રધાન માર્લ્સ પણ હાજર હતા.
ભારતની આ હાર પર રાજકારણ શરૂ થઈ ગયું અને કોંગ્રેસ તેમજ રાહુલ ગાંધીએ મોદીને પનોતી કહેવાનું શરૂ કરી દીધું હતું. હવે આ મુદ્દે મોહમ્મદ શમીની પ્રતિક્રિયા આવી છે.
શમી જ્યારે પોતાના ઘેર અમરોહા પહોંચ્યો ત્યારે મીડિયાએ તેને ઘેરી લીધો હતો. તેને પૂછવામાં આવ્યું કે રાહુલ ગાંધીએ એક નિવેદનમાં કહ્યું છે કે સ્ટેડિયમમાં એક પનોતી હતી જેના કારણે જ ભારત હારી ગયું છે. આ સવાલ સાંભળીએ શમીએ કહ્યું કે જુઓ, વિવાદવાળા સવાલ અમારી સમજમાં આવી રહ્યા નથી કેમ કે તમે લોકો આ પ્રકારના સવાલને વિવાદ તરફ લઈ જાવ છો !
અમે પૂરા બે મહિના મહેનત કરી છે અને હવે આગળનું વિચારવાનું છે.
ક્રિકેટમાં રાજકીય એજન્ડા ન આવવો જોઈએ અને અમને આ વાત સમજાઈ પણ રહી નથી.