T20 વિશ્વકપ જીતવાની સાથે કિંગ કોહલીએ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સન્યાસ
ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ના ફાઇનલમાં ભારતે શાનદાર જીત મેળવી છે. સાઉથ આફ્રિકા સામેના ભારે રસાકસી ભર્યા મુકાબલામાં ભારતનો શાનદાર વિજય થયો છે ત્યારે વાત કરીએ વિરાટ કોહલીની તો ભારતની આ જીતમાં કિંગ કોહલીનો મહત્વનો ફાળો છે ત્યારે આ મેચ બાદ વિરાટ કોહલીએ સંન્યાસની જાહેરાત કરી છે.
ભારતીય ટીમે 17 વર્ષ બાદ ટી20 વિશ્વકપનું ટાઈટલ જીતી લીધું છે. ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં આફ્રિકાને 7 રને હરાવ્યું છે. આ ઐતિહાસિક જીત બાદ વિરાટ કોહલીએ મોટી જાહેરાત કરી છે. વિરાટ કોહલીએ ટી20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તે ટેસ્ટ અને વનડે રમતો રહેશે. પરંતુ આ વર્લ્ડ કપ ફાઈનલ તેના આંતરરાષ્ટ્રીય કરિયરની છેલ્લી ટી20 મેચ છે.
વિરાટ કોહલીએ પ્રથમવાર જીત્યો ટી20 વિશ્વકપ
વિરાટ કોહલી ભારતીય ટીમ 2011માં વનડે વિશ્વકપ જીત્યો તે ટીમનો સભ્ય હતો. પરંતુ વિરાટ કોહલીએ એક ખેલાડી તરીકે પ્રથમવાર ટી20 વિશ્વકપની ટ્રોફી જીતી છે. હવે વિરાટ કોહલી ટી20 આંતરરાષ્ટ્રીયમાં ભારત માટે રમતો જોવા મળશે નહીં.