વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન: હાર્દિક-પંતની પસંદગી, રાહુલ `આઉટ’
પાંચ બેટર, બે વિકેટકિપર, ત્રણ ઓલરાઉન્ડર, ત્રણ ફાસ્ટર, બે સ્પીનરને ટીમમાં તક
૧ જૂનથી શરૂ થનારા ટી-૨૦ વર્લ્ડકપ માટે ભારતીય ટીમનું એલાન થઈ ચૂક્યું છે. ટીમની કમાન રોહિત શર્માને સોંપાઈ છે. બીસીસીઆઈએ મેરેથોન બેઠક કર્યા બાદ ટીમની જાહેરાત કરી છે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરના વડપણ હેઠળની સમિતિએ અંતે ૧૫ ખેલાડીઓ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
ટીમમાં હાર્દિક પંડ્યાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તે વર્લ્ડકપમાં ટીમનો વાઈસ કેપ્ટન રહેશે. આ ઉપરાંત વિકેટકિપર તરીકે ઋષભ પંત અને સંજૂ સેમસનને તક અપાઈ છે. જ્યારે કે.એલ.રાહુલને પડતો મુકાયો છે તો શુભમન ગીલ, રિન્કુ સિંહ અને આવેશ ખાનને રિઝર્વ પ્લેયર તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
ટીમમાં પાંચ બેટર, બે વિકેટકિપર, ત્રણ ઓલરાઉન્ડર, ત્રણ ફાસ્ટ બોલર અને બે નિષ્ણાત સ્પીનરોને સામેલ કરવામાં આવ્યા છે.
ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકિપર), શિવમ દૂબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકિપર), મોહમ્મદ સીરાજ
રિઝર્વ ખેલાડી: શુભમન ગીલ, રિન્કુ સિંહ, ખલીલ અહમદ, આવેશ ખાન
વર્લ્ડકપમાં ભારતનો કાર્યક્રમ
હરિફ ટીમ તારીખ સ્થળ
આયર્લેન્ડ ૫ જૂન ન્યુયોર્ક
પાકિસ્તાન ૯ જૂન ન્યુયોર્ક
યુએસએ ૧૨ જૂન ન્યુયોર્ક
કેનેડા ૧૫ જૂન ફ્લોરિડા