ભારતના સૌથી વયોવૃદ્ધ ટેસ્ટ ખેલાડી દત્તાજીરાવનું વડોદરામાં નિધન
:ભારતીય ટીમના પૂર્વ ટેસ્ટ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડ જેમણે દેશમાં સૌથી વયોવૃદ્ધ જીવિત ટેસ્ટ ક્રિકેટરનો રેકોર્ડ પોતાના નામે બનાવ્યો હતો તેમનું વડોદરા ખાતે નિધન થયું છે. દત્તાજીરાવ ગાયકવાડની ઉંમર ૯૫ વર્ષ હતી. તેણે ભારત માટે ૯ વર્ષના ટેસ્ટ કરિયરમાં ૧૧ મેચ રમી હતી જેમાં ચાર મેચમાં ટીમની કમાન સંભાળી હતી. ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે સોશ્યલ મીડિયા થકી ગાયકવાડના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. ૧૯૫૨માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ડેબ્યુ કરનારા ગાયકવાડે ૨૦૧૬માં દીપક શોધનના મૃત્યુ બાદ ભારતના સૌથી વયોવૃદ્ધ જીવિત ટેસ્ટ ક્રિકેટરની ઉપલબ્ધી હાંસલ કરી હતી. દીપક શોધનનું ૮૭ વર્ષની વયે નિધન થયું હતું.