યાત્રાધામ ઘેલા સોમનાથ- મીનળદેવી મંદિરનાં વિકાસ કામો પૂર્ણ
શોપિંગ કોમ્પ્લેક્સ, ટેકરી ઉપર ગાર્ડન સહિતના વિકાસ કામો કરાયા
રાજકોટ : રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રાધામ ઘેલા સોમનાથમાં આવેલ મીનળદેવી મંદિર પરિસરના વિકાસ કામોની સાથે સહેલાણીઓ માટે ગાર્ડન, શોપિંગ કોમ્પ્લેક્સ સહિતના કામો રૂપિયા 1.83 કરોડના ખર્ચે પૂર્ણ કરી દેવામાં આવેલ હોવાનું જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું.
જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘેલા સોમનાથ યાત્રાધામના વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત મીનળદેવી મંદિરના વિકાસ કામો માટે 1.83 કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે.જેમાં મીનળદેવી મંદિરના પગથીયાઓ નવા બનાવવામાં આવેલ છે. તેની સાથો-સાથ મીનળદેવી મંદિર કે જે અગાઉ પતરાવાળુ હતું તેનું નવનિર્માણ કરવામાં આવેલ છે. તેમજ મીનળદેવી મંદિરની ટેકરી ઉપર બાળ ક્રિડાંગણ- ગાર્ડન તેમજ શોપિંગ કોમ્પ્લેક્સ સહિતના વિકાસ કામો પૂર્ણ કરી લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.