Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

દાખલો બેસે એવી કાર્યવાહીથી જ વ્યાજખોરી બંધ થશે: કમિશનર

Sat, June 29 2024

વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ આયોજિત લોકદરબારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

વ્યાજે પૈસા લીધા હોય તો ચૂકવતી વખતે લખાણ કરો, રોકડ કરતાં ચેકથી નાણાં ચૂકવો: માથાભારે શખ્સ પાસેથી લોન લેવાનું જ ટાળો: કોઈ ફસાઈ ગયું હોય તો તુરંત જ પોલીસ ફરિયાદ કરે
૩૧ જૂલાઈ સુધી વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની ડ્રાઈવ ચાલશે: લોકો વિનાસંકોચે મારી પાસે આવી શકે છે
કંટાળીને આપઘાત કરતા પહેલાં એક વખત પોલીસ પાસે આવો એવી અમારી વિનંતી-એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા



લોકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરવા માટે સરકાર દ્વારા દરેક જિલ્લા-શહેરની પોલીસને લોક દરબાર આયોજિત કરવાના આદેશ અંતર્ગત રાજકોટ પોલીસ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પીડિતો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમને સંબોધન કરતાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ જણાવ્યું હતું કે વ્યાજખોરી અટકાવવા માટે દાખલો બેસે એવી કાર્યવાહીથી જ આ દૂષણ બંધ કરી શકાશે. તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું કે કોઈ પાસેથી વ્યાજે પૈસા લીધા હોય તો વ્યાજ તેમજ મુદ્દલની ચૂકવણી કરતી વખતે તમામ પ્રકારનું લખાણ કરો. ખાસ કરીને વ્યાજ કે મુદ્દલની રકમનું ચૂકવણું રોકડ કરતાં ચેકથી કરવાનો જ આગ્રહ રાખો.

કોઈ માથાભારે શખ્સ પાસેથી લોન લેવાનું જ ટાળવું જોઈએ. જો કોઈ ફસાઈ ગયું હોય તો તુરંત જ પોલીસ ફરિયાદ કરી શકે છે. ૩૧ જૂલાઈ સુધી વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની ડ્રાઈવ ચાલશે અને લોકો વિનાસંકોચે મારી પાસે આવી શકે છે. ગત વર્ષે આયોજિત લોક દરબારમાં ૬૦ અરજી મળી હતી જેમાં ૪૭ ગુના દાખલ કરી ૬૫ લોકોની ધરપકડ કરાઈ હતી તો બે વ્યાજખોરોને પાસાના પીંજરે પૂરવામાં આવ્યા હતા. આ પછી લોનમેળાનું આયોજન કરાયું હતું જેમાં ૧૫૦૦ લોકોને ૩.૪૫ કરોડની લોન અપાવાઈ હતી. જ્યારે એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાએ જણાવ્યું કે આપઘાત કરતા પહેલાં સો વખત વિચાર કરો કેમ કે જીવન ઘણું જ અમૂલ્ય છે. એક વખત તમે પોલીસ પાસે આવીને તમારી ફરિયાદ કરો એવી મારી બધાને વિનંતી છે.

અલ્પેશ દોંગાએ ક્રાઈમ બ્રાન્ચની કચેરીએ બોલાવીને ધમકાવ્યો: જયસુખ ભીમાણી
લોકદરબારમાં પોલીસ કમિશનરને ફરિયાદ કરતાં જયસુખભાઈ મોહનભાઈ ભીમાણીએ જણાવ્યું કે અલ્પેશ દોંગા નામની વ્યક્તિ પાસેથી મેં ૨૧ લાખ લીધા હતા. પૈસા આપતી વખતે તેણે ૨% વ્યાજ કહ્યું હતું પરંતુ બાદમાં ૫% કરી નાખ્યું હતું. આ બદલામાં તેણે મારી ૮ એકર જમીન પણ લખાવી દીધી હતી. મેં તમામ પૈસા પરત આપી દીધા છતાં તે જમીન પરત આપતો નથી. આ અંગે મેં ક્રાઈમ બ્રાન્ચમાં અરજી પણ કરી હતી પરંતુ ત્યારબાદ અલ્પેશ મને ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવીને ધમકાવી રહ્યો છે. તે એવું કહી રહ્યો છે કે ક્રાઈમ બ્રાન્ચમાં તેની બધા સાથે ઓળખાણ છે ! આ સાંભળી પોલીસ કમિશનરે તેમને ડીસીપી ક્રાઈમને મળવા માટે કહ્યું હતું.

૧૦ લાખ ચૂકવી દીધા છતાં વધુ રકમની માંગ થાય છે: આદિત્ય વસોયા
આદિત્યકુમાર ગોવિંદભાઈ વસોયાએ લોકદરબારમાં કહ્યું હતું કે તેણે મૌલિક અને ભૌમિક નામના શખ્સો પાસેથી ૧૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જે ચૂકવી દીધા છતાં વધુ રકમની માંગ કરવામાં આવે છે. આ અંગે મેં ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં અરજી પણ કરી છે પરંતુ કશી કાર્યવાહી થઈ રહી નથી. આ અંગે પોલીસ કમિશનરે કહ્યું કે ગાંધીગ્રામ-૨માં અત્યારે ઈન્ચાર્જ પીઆઈ હોવાથી અરજી ધ્યાન બહાર રહી ગઈ હશે પરંતુ આ અંગે તુરંત કાર્યવાહી કરવામાં આવશે

લીલી નામની વ્યાજખોરના ત્રાસથી ભાભીએ આત્મહત્યા કરી છતાં ગુનો નથી નોંધાયો
માધવભાઈ ગોહેલ નામના અરજદારે જણાવ્યું કે હું આ પ્રકારના લોકદરબારમાં ચોથી વખત આવી રહ્યો છું ! મારા ભાઈના પત્નીએ ૨૦૧૨માં રામનાથપરા જેલ પાસે પાનના ગલ્લે બેસતી લીલીબેન ડોડીયા પાસેથી વ્યાજે પૈસા લીધા હતા જેની ઉઘરાણીથી કંટાળી જઈને આપઘાત કરી લીધો હતો. આ અંગે મેં નવ વખત નિવેદન આપ્યું, ચાર વખત તપાસ થઈ છતાં હજુ સુધી લીલી સામે ગુનો નોંધાયો નથી. આ રજૂઆત સાંભળી કમિશનરે માધવભાઈને મંગળવારે ૧૨ વાગ્યે રૂબરૂ બોલાવ્યા હતા.

Share Article

Other Articles

Previous

આજે ભારત-આફ્રિકા વચ્ચે ફાઈટ ટુ ફિનિશ

Next

રાજકોટમાં મેટ્રો રેલવે શરુ કરવા કેન્દ્રને દરખાસ્ત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
New Whatsapp Rules: હવે દર 6 કલાકે WEB WhatsApp થશે લોગ આઉટ, સરકાર લાવી રહી છે નવા નિયમ, જાણો તમામ માહિતી
1 કલાક પહેલા
ફૂડ પોઇઝનિંગ કે પોઇઝનિંગ? ત્યક્તાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત,પોસ્ટમોર્ટમ વિના જ લાશ સોંપી દીધી!
2 કલાક પહેલા
રાજકોટમાં વિસ્તાર ફરે એટલે સ્પીડબ્રેકરની સાઈઝ પણ ફરી જાય! પોલિસીનો ખુલ્લેઆમ ઉલાળિયો, જાણો કયા વોર્ડમાં કેટલા સ્પીડબ્રેકર
2 કલાક પહેલા
ગૃહમંત્રી દારૂ-ડ્રગ્સના દૂષણ બાબતે સર્વપક્ષિય બેઠક બોલાવે : ગોપાલ ઇટાલિયા લખ્યો પત્ર,દારૂ-ડ્રગ્સની રાજનીતિ ગરમાઇ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2703 Posts

Related Posts

કડવા અને લેઉવા પાટીદારો વેપારી થઈ ગયા છે
ગુજરાત
2 વર્ષ પહેલા
ડીસા દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 : પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતને દોડાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : મોટાભાગના મોત ફટાકડા ફેકટરીના ગોડાઉનનો સ્લેબ તૂટવાથી થયા
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
જમીનના બદલામાં નોકરી કૌભાંડમાં આજે બિહારમાં તેજ પ્રતાપ અને રાબડીદેવીની તેમજ આવતીકાલે લાલુપ્રસાદ યાદવની ઇડી કરશે પૂછપરછ
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
21મી સદીમાં પણ નાત બહાર મુકવાનો રાજકોટમાં ચોકાવનારો કિસ્સો
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર