સ્વામીનારાણ ભક્તોએ દેવી-દેવતાઓને ન પૂજવા…જુઓ વધુ એક સાધુએ લોકોને સનાતન વિરુધ્ધ ભડકાવ્યા….
હિન્દુઓના દેવી-દેવતા સાથે કોઈ લેવાદેવા નથી: રાજકોટના દિનેશ પ્રસાદ સાધુનો બફાટ
વિડીયો થયો વાઈરલ : ભગવાનની આજ્ઞા છે હવે અલગ ધર્મ કરો
સાળંગપુર મંદિર પરિસરમાં આવેલી હનુમાનજીની ભવ્ય પ્રતિમાની નીચે કંડારવામાં આવેલા હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રોને તો હટાવી દેવાયા છે પણ હજુ કેટલાક વિવાદ યથાવત છે. સાળંગપુર મંદિરમાંથી માત્ર ભીંતચિત્રોને હટાવતા અનેક સાધુ-સંતો નારાજ છે અને તમામ મુદ્દાઓ પર સમાધાન ન થયા હોવાનું સાધુ-સંતો જણાવી રહ્યા છે. આ વચ્ચે રાજકોટના સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. વાયરલ વીડિયોમાં આચાર્ય દિનેશ પ્રસાદ દેવી-દેવતાઓ વિરુદ્ધ બફાટ કરી રહ્યા છે.
‘આપણે હવે કોઈ દેવી-દેવતા સાથે સંબંધ રાખવાનો નથી’
વીડિયોમાં આચાર્ય દિનેશ પ્રસાદ કહી રહ્યા છે કે, દેવી-દેવતા કાઢવાના છે, ભગવાનની આજ્ઞા છે, આ જે કંઈ થાય છે તે ભગવાનની લીલા સમજીને ચાલો. ભગવાન સ્વામિનારાયણ હવે સનાતનીઓથી નારાજ થઈ ગયા છે અને આપણે હવે કોઈ દેવી-દેવતા સાથે કોઈ સંબંધ રાખવાનો નથી. સ્વામિનારાયણ ભગવાન આપણો આખો ધર્મ અલગ કરી રહ્યા છે. હિન્દુ ધર્મના એવા લોકો કે જેઓ દેવી-દેવતાને માનતા નથી, તેઓએ સ્વામિનારાયણ ભગવાન સ્વીકારશે.
કોઈ સનાતનીએ આવવાની જરૂર નથીઃ દિનેશ પ્રસાદ
તેઓ કહી રહ્યા છે કે, મારા ભગવાન અંતર્યામી છે, કોઈ સનાતનીએ આવવાની કોઈ જરૂર નથી. સનાતન ધર્મ પાળતા લોકોએ મારી બાજુ ફરકવું નહીં. હિન્દુ દેવી-દેવતાને ન માનનારા લોકોને સ્વામિનારાયણ ભગવાન સ્વિકારશે. ભગવાનની આજ્ઞા સિવાયના સંપ્રદાયો હવે બંધ થવાના છે અને આપણે મંદિરોમાંથી અન્ય દેવી-દેવતાઓને કાઢવાના છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના આચર્ય દિનેશ પ્રસાદનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીનો આ વીડિયો વિવાદમાં વધુ ઘી રેડે અને આગ પ્રસરાવે તેવો છે. જેનાથી ફરી વિવાદ પ્રસરે તેવું લાગે છે. આ વીડિયોને લઈને સનાતનીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.