અકસ્માત બાદ માનસિક સ્થિતિ ગુમાવનાર હોમગાર્ડના જવાનનો આપઘાત
બાઈક અકસ્માતમાં ઘાયલ થયા બાદ માનસિક અવસ્થામાં જીવતા હોમગાર્ડ જવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો યુવકના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. ગોપાલ ચોકમાં આવેલા દર્શન પાર્કમાં રહેતા મુકુંદ દુષ્યંતભાઈ જોષી (ઉવ૨૮)નામના યુવાને પોતાના ઘરે હતો પંખામાંદુપટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.પોલીસના સૂત્રોએ જણાવ્યા અનુસાર, મૃતક ભક્તિનગર પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતોઅને તેનો મોટો ભાઈ ટીઆરબી જવાન છે. અને તેના પિતા પણ હોમગાર્ડ તરીકે નોકરી કરતાં હતાં. યુવકનું દોઢ માસ પહેલાં અકસ્માતમાં મોઢા પર ગંભીર ઇજા પહોંચ્યા બાદ તેઓ સારવાર હેઠળ હતાં. તેના માતાપિતા અને તેનો મોટો ભાઈ સબંધીને ત્યાં જમવા ગયાં બાદ માનસિક અવસ્થામાં જીવતાજવાને કંટાળી અંતિમ પગલું ભરી લીધાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું.