રાજકોટ : ૧૬ વર્ષ અગાઉ રિવોલ્વર સાથે ઝડપાયેલ શખ્સનો નિર્દોષ છુટકારો
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષ અગાઉ રિવોલ્વર સાથે ઝડપાયેલા રાજશી મેર સામેનો કેસ ચાલી જતા અદાલતે રાજશી મેરને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.
આ કેસની હકિકત મુજબ, સોમનાથ સોસાયટી શેરી નંબર 3માં રહેતો રાજશી રામ મેર નામના શખ્સ પાસે રિવોલ્વર હોવાની મળેલી બાતમીના આધારે તત્કાલીન ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ ડી.એમ.વાઘેલા, પીએસઆઇ એમ.એચ.વાઘેલા સહિતના સ્ટાફે દરોડો પાડી આરોપીના મકાનમાં બાથરૂમના માળિયામાંથી રિવોલ્વર સાથે રાજશી મેરની ધરપકડ કરી આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે તપાસ પૂર્ણ કરી અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.
કેસ ચાલવા પર આવતા બંને પક્ષોની રજૂઆત બાદ આરોપીના વકીલે કરેલી ધારદાર દલીલો અને રજૂ કરેલા વડી અદાલતના ચુકાદાને ધ્યાને લઈને અદાલતે ફરિયાદ પક્ષ ગુનો સાબિત કરવામાં નિષ્ફળ નીવડેલ હોય તેવું જણાવી આરોપી રાજસિંહ મેરને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી વતી જાણીતા એડવોકેટ દિલીપ પટેલ, કલ્પેશ નસીત, નેમીષ જોષી,અનિતા રાજવંશી અને આસિસ્ટન્ટ તરીકે હિસાબ કણજારીયા રોકાયા હતા