ચિક્કાર પાણી ભરાઈ જતાં રેલનગર અન્ડરબ્રિજ બંધ: અનેક લોકોને `ફોગટફેરા’
રાજકોટમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે સાથે સાથે ચિક્કાર પાણી ભરાઈ જવાને કારણે અમુક બ્રિજને પણ કામચલાઉ ધોરણે મનપા દ્વારા બંધ કરી દેવાયા છે. આવો જ એક બ્રિજ છે રેલનગર અન્ડરબ્રિજ જ્યાં પાણીના ભરાવામાં સતત વધારો થતો હોય તકેદારીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો હતો. રેલનગરમાં પહોંચવા માટે આ બ્રિજ અત્યંત ઉપયોગી હોય તે બંધ થઈ જતાં હવે લોકોએ માધાપર ચોકડીથી રેલનગરમાં પહોંચવું પડ્યું હતું. આ પહેલાં પોપટપરા નાલું પણ બંધ હોવાથી રેલનગરમાં પહોંચવા માટે હવે એકમાત્ર માધાપર ચોકડીએથી જ જવું પડશે. આ ઉપરાંત સાંઢિયા પુલ પણ બંધ હોય લોકોએ માધાપર ચોકડી સુધી પહોંચવા માટે પણ ફરી ફરીને જવું પડ્યું હતું.