‘નઘરોળ’ અધિકારીઓના પાપે દર્દીઓ લૂંટાયા, હવે ‘દુકાન’ બંધ કરાવાશે !
વોઈસ ઓફ ડે'એ કમિશનખોર તબીબોનો
ખેલ’ ઉઘાડો પાડ્યા બાદ શરૂ થઈ દોડધામ
સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી ખાનગી મેડિકલ સ્ટોર ધમધમ્યા બાદ આરોગ્ય મંત્રીએ કાન આમળતાં જ તેને બંધ કરાવવા હવાતિયા શરૂ…
સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.મોનાલી માંકડિયા, એડિ. સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.હેતલ ક્યાડા સહિતના તમામ જવાબદાર અધિકારીઓએ અત્યાર સુધી આંખ જ બંધ રાખી’તી
એસીડીટી, એન્ટીબાયોટિક, ઉધરસ, યુરિન સંબંધિત તકલીફ સહિતની દવાઓ મેડિકલ સ્ટોર પાસેથી ખરીદ કરાવી મેળવાતું હતું કમિશન'

કાયમ માટે વિવાદના વંટોળમાં રહેવા માટે પંકાઈ ગયેલી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં શનિવારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતનાએ મુલાકાત લઈ અંદર ચાલી રહેલી
લાલિયાવાડી’ મુદ્દે અધિકારીઓને બરાબરના ઝાટક્યા હતા. ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં ધમધમતાં ખાનગી મેડિકલ સ્ટોરની તેમણે ગંભીરતાપૂર્વક નોંધ લઈને જવાબદારોને તો ઠપકો આપ્યો હતો સાથે સાથે આ દુકાન' તાત્કાલિક અસરથી બંધ કરાવવા આદેશ આપતાં સિવિલ હોસ્પિટલના
આળસું’ અધિકારીઓ દોડતાં થઈ ગયા હતા. અત્રે નોંધવું જરૂરી છે કે વોઈસ ઓફ ડે' દ્વારા તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલના ખાનગી મેડિકલ સ્ટોરમાં દર્દીઓ કેવી રીતે ખંખેરાઈ રહ્યા છે તેનો પૂરાવા સાથેનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ સિવિલના જવાબદાર અધિકારી ડૉ.હેતલ ક્યાડા દ્વારા માત્રને માત્ર તપાસના નામે
નાટક’ જ કરવામાં આવ્યું હતું !
જાણવા મળેલી વિગતો પ્રમાણે આ મેડિકલ સ્ટોર છેલ્લા ઘણા વર્ષોથી સિવિલના કેમ્પસમાં ભાડે આપવામાં આવ્યો હતો. દર્દીઓને વિનામૂલ્યે દવા મળી રહે તે માટે સરકાર તરફથી મોઢેમાંગ્યો જથ્થો પૂરો પાડવામાં આવે છે આમ છતાં અમુક કમિશનખોર તબીબો દ્વારા જાણીજોઈને દર્દીઓને સિવિલના મેડિકલ સ્ટોરમાંથી દવા લેવા મજબૂર બનવું પડે તે પ્રકારે પ્રિસ્ક્રિપ્શનમાં દવા લખી આપવામાં આવતી હતી જેથી બન્નેના ગજવા ભરાયેલા રહે ! આશ્ચર્યની વાત એ છે કે સિવિલના તબીબો દ્વારા દર્દીઓને એસીડીટી, એન્ટીબાયોટિક, ઉધરસ, યુરિન સંબંધિત તકલીફ સહિતની દવાઓ બ્રાન્ડનેમ સાથે લખી આપવામાં આવતી હોવાના પૂરાવા સાથેનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો આમ છતાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.મોનાલી માંકડિયા કે એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.હેતલ ક્યાડા દ્વારા કશી જ કાર્યવાહી કરવામાં આવી ન્હોતી. આ બન્ને અધિકારીઓ ઉપરાંત અન્ય જવાબદારોએ પણ હાથ ઉંચા કરી દેતાં ગરીબ દર્દીઓ રીતસરના લૂંટાયા હતા.
ભલે સિવિલ હોસ્પિટલના બેજવાબદાર, નઘરોળ, લપોડશંખ અધિકારીઓએ કશી કાર્યવાહી ન કરી પરંતુ આરોગ્ય મંત્રીએ લીધેલી બેઠકમાં આ મુદ્દો ઉપસ્થિત થતાં જ સૌના હાજા ગગડી ગયા હતા સાથે સાથે મેડિકલ સ્ટોર તાત્કાલિક અસરથી બંધ કરાવવાનો આદેશ છૂટતાં જ હવે તેને નોટિસ ફટકારીને કાયમી દુકાન બંધ કરાવવા માટેની કાર્યવાહી માટે પણ દોડધામ શરૂ કરવી પડી હતી.