ઓરબીટ ગ્રુપને ત્યાંથી તપાસમાં 150 કરોડના બેનામી વ્યવહારો મળ્યા
આવકવેરા દરોડાની માહિતી લીક કરનાર ‘હરિ રામ નાઇ’ કોણ ? તેની તાપસ
ત્રીજા દિવસે પણ તપાસમાં બેન્ક લોકરો શીલ કરાયા
જપ્ત થયેલા દસ્તાવેજો અને ડિઝિટલ ડેટાની તપાસ માટે ખાસ ટીમ બનાવાઇ
રાજકોટના બે ટોચના બિલ્ડર્સ ઓરબીટ ગ્રુપના વિનેશ પટેલ અને જાણીતા બિલ્ડર દિલીપ લાડાણી અને તેની સાથે સંકળાયેલા ભાગીદારો ટવીન ટાવર ગ્રુપનાં મયુર રાદડીયા, દાનુભા જાડેજા(દોમડા), ઉપરાંત ગેલેકસી ગ્રુપનાં નિલેશ જાગાણી તથા રીયલ એસ્ટેટ ક્ષેત્રે મોટા વ્યવહારો ધરાવતાં મહિપતસિંહ જાડેજા સહિતનાઓને ત્યાં આવકવેરાએ પડેલા દરોડાની તપાસમાં ઓરબીટ ગ્રુપને ત્યાંથી તપાસમાં 150 કરોડના બેનામી વ્યવહારો મળ્યા છે.આ દરોડામાં ત્રણ સ્ટેપમાં કામગીરી કરવામાં આવી રહી છે. એક ટીમ સર્ચ કરી કબજે કરેલ દસ્તાવેજો અને ડેટા બીજી ટીમ મારફતે આવકવેરા વિભાગની ત્રીજી ટીમ જે આ દસ્તાવેજોની ચકાસણી કરે છે તેને મોકલવામાં આવે છે.
બિલ્ડર દિલીપ લાડાણીની પૂછપરછ માટે તેમણે ઈન્કમટેક્ષ ઓફિસે લઈ જવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે ત્રીજા દિવસે પણ તપાસ ચાલુ રાખી છે.આવકવેરા દરોડાની જાણ બિલ્ડર ગ્રુપને આગલી રાતે જ થઈ ગયાની શંકાને પગલે દરોડાની અતિ ગુપ્ત માહિતી લીક કરનાર ‘હારી લાલ નાઇ’ને શોધવા પણ આવકવેરા વિભાગની એક ટેકનિકલ ટીમ કાર્યરત થઈ છે.
ત્રીજા દિવસની તપાસમાં ઓરબીટ ગ્રુપને ત્યાંથી 150 કરોડના બેનામી વ્યવહારો પણ મળી આવ્યા છે. સર્ચ ઓપરેશનમાં કબજે કરેલા દસ્તાવેજો, ડિજિટલ ડેટા અને તેને સંલગ્ન માહિતીની ઝીણવટ ભરી તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે જેથી આ દરોડાની કામગીરીમાં કોઈ વિક્ષેપ ન આવે અને ત્રિ-સ્થરિય રીતે કામ કરી ઝડપી કામગીરી કરી શકાય. લાડાણી ગ્રુપના આથિક વ્યવહારો જેમાં રાખવામાં આવ્યા છે તે લેપટોપ કબજે કરવા આઇટીની ટીમ મહેનત કરી રહી છે. આવકવેરા વિભાગે ડિઝિટલ ડેટાની ચકાસણી શરૂ કરી છે જેમાં મોટા બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા છે.
આવકવેરા વિભાગનું આ સર્ચ ઓપરેશન રવિવાર સુધી ચાલશે તેમ આવકવેરા વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે. લાડાણી ગ્રુપ,ઓરબીટ ગ્રુપ સાથે વર્ધમાન ગ્રુપને ત્યાં તપાસમાં બેન્ક લોકોરો પણ સીલ કરવામાં આવ્યા છે જેની આગામી દિવસોમાં તપાસ થશે.