પાસપોર્ટ વેરિફિકેશનમાં માટે હવે રૂબરૂ પોલીસ સ્ટેશને નહિ જવું પડે
રાજયના કાયદો અને વ્યવસ્થાના વડા દ્વારા પરિપત્ર જાહેર કર્યો
જરૂર જણાય તેવા કેસમાં જ અરજદારની ખરાઇ માટે પોલીસે રહેણાંક સ્થળની મુલાકાત લેવીલઇ શકશે:
પાસપોર્ટ માટે અરજદારે પોલીસ સ્ટેશનને બોલાવવા નહિ તેવો સ્પષ્ટ ઉલ્લેખ
ગુજરાતમાં પાસપોર્ટ માટે અરજી કરનાર માટે એક સારા સમાચાર આવ્યા છે. પાસપોર્ટ માટે અરજદારે પોલીસ સ્ટેશનના ખાવા પાડતા ધક્કા માંથી કાયમી મુકતિ આપતો પરિપત્ર રાજયના કાયદો અને વ્યવસ્થાના વડા દ્વારા બહાર પાડી હવે પાસપોર્ટ વેરીફિકેશન માટે અરજદરે પોલીસ સ્ટેશનને રૂબરૂ જવાની જરૂરીયાત નહી રહે તેવો આદેશ આપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પાસપોર્ટ વેરીફીકેશનની પ્રક્રિયામાં મોટો સુધારો કરવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ વડા દ્વારા જારી કરાયેલ એક પરિપત્ર મુજબ હવે પાસપોર્ટ અરજદારને પોલીસ વેરીફીકેશન માટે જે તે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે.
રાજયમાં પાસપોર્ટ મેળવવા માટે અનેક કોઠામાંથી પાસ થવુ પડતુ હોય છે ત્યારે કાયદો અને વ્યવસ્થાના મહાનિર્દેશક સમરશેર સિંધે બહાર પાડેલ પરીપત્રમાં જણાવ્યું છે કે, પાસપોર્ટ માટે અરજી કરનાર અરજદારોને વેરીફિકેશન પ્રકિયા માટે પોલીસ સ્ટેશન રૂબરૂ બોલાવવાની જરૂરીયાત રહેતી નથી. કોઇપણ પાસપોર્ટ અરજદારોના વેરીફિકેશન સ્ટાફ ફકત અરજદારોની નાગરીકતા તેમજ અરજદારોનો ગુનાહીત ઇતિહાસની ચકાસણી કરવાની રહે છે. આ ઉપરાંત અરજદારના સરનામાની ચકાસણી કરવાની આવશ્યકતા રહેતી નથી, પોલીસે પાસપોર્ટ અરજદારોને રૂબરૂ મળવાની કે અરજદારની સહી લેવાની જરૂરીયાત રહેતી નથી. પોલીસ અમુક કિસ્સામાં જરૂર જણાય તો પાસપોર્ટ અરજદારોની વધુ ખરાઇ કરવાની આવશ્યકતા જણાય તો પોલીસે અરજદારીના રહેણાંક સ્થળની મુલાકાત કરી શકે છે. આ પરિપત્રનો આજથી અમલવારી શરૂ કરવા કાયદો અને વ્યવસ્થાના વડાએ આદેશ આપ્યો છે.
પાસપોર્ટ વેરિફીકેશન માટે ફકત અરજદારની નાગરિકતા અને તેની ગુનાહિત પૂર્વ ભૂમિકા કે તેની સામે કોઇપણ પ્રકારના પોલીસ કેસ નોંધાયા હોય તો તેની ચકાસણી કરી તે મુજબ રિપોર્ટ આપવાનો રહેશે. પોલીસ વડા દ્વારા જાહેર કરાયેલા આ પરિપત્રનો અમલ કરવા સુચના આપવામાં આવી છે અને પાસપોર્ટ અરજદાર ખોટી રીતે હેરાન ન થાય તે પણ જોવા જણાવાયું છે.