લોધિકા નજીક ફેક્ટરી માંથી રૂ.10 લાખનો નશાકારક સીરપ પકડાયું
સપ્લાય કરનાર રાજકોટના ગોડાઉનના માલીકની ધરપકડ
લોધીકાના ખાંભા ગામની સીમમાં આવેલ શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ગોડાઉનઉપર પોલીસ દરોડો પાડી આયુર્વેદીકના નામે નશાકારક સીરપનું ઉત્પાદન કરતા રાજકોટ રહેતા ગોડાઉનના માલીક મનીષ ગીરીશભાઇ પાંવ (ઉ.25)ની ધરપકડ કરીરૂ. 10 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
ખાંભા ગામની સીમમાં આવેલ ગોડાઉનમાં આયુર્વેદીક સીરપના નામે નશાકારક બોટલનું ઉત્પાદન થતું હોવાની માહિતીને આધારે પોલીસ દરોડો પડ્યો હતો ગોડાઉનમાંથી નશાકારક આયુર્વેદીક સીરપની 6100 બોટલ તેમજ આયુર્વેદીકસીરપ બનાવવાનું રો મટીરીયલ્સ, સાધનો ખાલી બોટલ, પ્લાસ્ટીકના સ્ટીકર, ફોર્ડકંપનીનું મશીન, ઇલેકટ્રીક મોટર સહીત રૂ.10 લાખનો મુદામાલ કબ્જે કર્યોહતો.આયુર્વેદીક સીરપની બોટલમાં નશા કારક દ્રવ્ય ભરી તેના પર કાલ મેઘાશ્વ અસવ અરીષ્ઠાએટલાસ આર્ટીફીશ્યલ ફુડ, લકસ એચચી રમના સ્ટીકર મારી બોટલ 300 રૂપિયાથી લઇને 550 રૂપીયામાં વેચાણ કરવામાં આવતું હતું.પોલીસે આ નશાકારક સીરપના નમુના પૃથ્થકરણ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે.જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચના થી લોધીકા પીએસઆઇ કે.વી. પરમારઅને તેમની ટીમે કામગીરી કરી હતી.