ગોંડલનાં રાણસીકી ગામે માતા-પુત્રનાં તળાવમાં ડુબી જવાથી મોત
પુત્રને બચાવવા તળાવમાં પાડેલી માતાએ પણ જીવ ગુમાવ્યો
ગોંડલ તાલુકના રાણસીકીમાં આવેલા તળાવમાં આદીવાસી રૈયનીબેન રુપસંગ સાહદર (ઉ.30) કપડા ધોવા ગઈ હતી. અને 8 વર્ષનો પુત્ર રામ તળાવનાં કાંઠે ન્હાવા પડ્યો હતો તે દરમ્યાન અકસ્માતે રામ ઉંડા પાણીમાં ગરક થવા ડુબવા લાગતા તેણે બચાવવા બૂમો પડતાં માતા રૈયનીબેને પુત્રને બચાવવાં તળાવમાં કૂદી પડી હતી. પુત્રને તો માતા રૈયનીબેન બચાવી ન શકી અને માતા-પુત્ર બન્ને તળાવના ઉંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. આ દ્રશ્ય જોઈ તળાવનાં કાંઠે કપડા ધોતી અન્ય મહીલાઓ બુમાબુમ કરતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને માતાપુત્રને તળાવમાંથી બહાર કાઢયાં હતા. કમનશીબે માતા-પુત્ર બન્નેનાં મોત થયા હતા. પોલીસ તપાસમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતક રૈયનીબેન મુળ બડવાણી મધ્યપ્રદેશ હતા અને છેલ્લા એક વર્ષથી રાણસીકી વિનુભાઈ કાછડીયાની વાડીએ તેના પતિ રુપસંગ તથા પુત્ર સાથે રહી ખેતમજુરી કરતા હતા. બનાવથી આદિવાસી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.