મેઘરાજા આરામમાં, રાજકોટમાં ઝાપટા
શનિવારે એક પણ તાલુકામાં એક ઈંચ વરસાદ ન વરસ્યો, રાજ્યના 37 તાલુકામાં વરસાદ
રાજકોટ : રાજ્યમાં મેઘવિરામ જેવી સ્થિતિ વચ્ચે શનિવારે માત્ર 37 તાલુકાઓમાં જ મેઘરાજા વરસ્યા હતા, જેમાં રાજકોટમાં ઝાપટા સ્વરૂપે તો સુરતમાં દિવસ દરમિયાન 19 મીમી એટલે કે પોણો ઈંચ જેવો વરસાદ વરસ્યો હતો.
શ્રાવણે સરવડાની ઉક્તિ મુજબ છેલ્લા અઠવાડિયાથી મેઘરાજા આરામના મૂડમાં હોય તેમ શનિવારે સવારે 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના માત્ર 37 તાલુકાઓમાં જ વરસાદ વરસ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર આંકડા મુજબ શનિવારે સુરતમાં 19 મીમી, વાપીમાં 14 મીમી, ભાવનગરના ગારિયાધાર, સુરતના ઓલપાડ, કામરેજ અને નવસારીના જલાલપોરમાં 13-13 મીમી, શિહોરમાં 10 અને નવસારી અને ગણદેવીમાં 9-9 મીમી વરસાદ નોંધાયો હતો.જો કે, રાજકોટમાં ઘૂપ છાવના માહોલ વચ્ચે ઝાપટા વરસ્યા હતા.