મારવાડી કોલેજના એમબીએના છાત્ર ઉપર છરીથી હુમલો
ભગવતીપરામાં જમવા આવ્યો ત્યારે અગાઉ થયેલ માથકૂટને કારણે છરી ના ઘા ઝીંકયા
ભગવતીપરામાં જમવા આવેલા મારવાડી કોલેજના એમબીએના છાત્ર ઉપર છરી વડે હુમલો કરવામાં આવતા છાત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ બનાવ અંગે બી-ડિવિઝન પોલીસ મથકમાં મુળ બિહારના વતની મારવાડી કોલેજમાં એમબીએના ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં નિતીન મનોજભાઇ કુમારે ફરિયાદ નોંધાવી હતી. નીતિન ભગવતીપરામાં આવેલ હોસ્ટેલમાં રહેતો હોય તે નજીક આવેલ જીલ્લાની કેટરર્સમાં જમવા માટે આવ્યો ત્યારે દિવાળીના તહેવાર ઉપર બોબી નામના એક શખ્સ સાથે માથાકૂટ થઈ હોય જેનો ખાર રાખી બોબીએ છરી ઝીંકી દીધી હતી.