ગુરુવારે હોલિકા દહન: હોળીની ઝાળ બતાવશે વર્ષનો વરતારો
ઈશાન ખુણામાં પવન હોય તો વરસાદ ૧૬ આની,અગ્નિ ખુણામાં પવન તો દુષ્કાળનો ભય રહે:૨૯ માર્ચ થી કુંભ,મીન તથા મેષ રાશીના જાતકો મોટી પનોતી તથા સિંહ તેમજ ધન રાશીના લોકો ને શનિની નાની પનોતી શરૂ
ફાગણ શુદ ચૌદસને ગુરુવારે ને તા.૧૩-૩-૨૫ ના દિવસે હોળી છે. ગુરુવારે સવારના ૧૦.૩૭ કલાકે થી પૂનમ તીથી શરૂ થઈ જાય છે જે તા ૧૪ માર્ચ ને શુક્રવારે બપોરે ૧૨ .૨૫ સુધી પૂનમ તિથિ છે આમ,ગુરુવારે સાંજના ભાગે પૂનમ તીથી હોતા અને ગ્રંથોના નિયમ પ્રમાણે પ્રદોષકાળ માં પૂનમ હોય તે દિવસ લેવો આથી ગુરૂવાર નો દિવસ હોળીનો ગણાય. અને શુક્રવારે ધૂળેટી ગણાશે. હોળાષ્ટક શુક્રવારે બપોરે ૧૨.૨૫ કલાકે પુરા થશે. આપણી વર્ષોની પરંપરા છે હોળીની દિશાના આધારે એક માન્યતા પ્રમાણે હોળી પ્રગટયા બાદ જે દિશામાં પવન વાતો હોય તે દિશા પ્રમાણે તે વર્ષના વરસાદની આગાહી કરવામાં આવે છે.
ઈશાન ખુણામાં પવન હોય તો સારો વરસાદ થાય ૧૬ આની,અગ્નિ ખુણામાં પવન હોય તો દુષ્કાળનો ભય રહે.વાયવ્ય ખુણામાં પવન વાપનો સારો વરસાદ થાય,નૈઋત્ય ખુણામાં પવન વાય તો સાધારણ વરસાદ થાય,પશ્ચિમ દિશામાં પવન જાય તો 8 આની ચોમાસુ,દક્ષિણ દિશામાં પવન જાય તો પાક નાસ પામે,પૂર્વે દિશામાં પવન વાય તો કયાંક વરસાદ પડે ક્યાંક ન પણ પડે. ઉત્તર દિશામાં જાય તો વરસાદ સારો કહી શકાય. ધાન્ય સારું પાકે,ઉપરની કોર પવન ચડે તો યુઘ્ધ થાય પ્રજા દુઃખી હોળીની ઝાર ચારેકોર ફરે તો વાવાઝોડું વંટોળ આવે શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન જણાવે છે કે,વર્ષમાં ચાર મહારાત્રી ગણાય છે. જેમાંની એક મહારાત્રી એટલે હોળીનો દિવસ.ચંડીપાઠ પ્રમાણે કાલરાત્રી મહારાત્રી મોહરાત્રી,દારૂણરાત્રી કાલ રાત્રી એટલે કાળી ચૌદશ મહારાત્રી એટલે મહાશિવરાત્રી મોહરાત્રી એટલે જન્માષ્ટમી દારણરાત્રી એટલે હોળી ની રાત.આમ વર્ષમાં ચાર મહારાત્રીમાંથી એક મહારાત્રીનો દિવસ એટલે હોળીનો દિવસ ગણાય છે.
હોલિકા માતાનું પુજન
સૌપ્રથમ હાથમાં જળ લઈ અને સંકલ્પ કરવો.આજના દિવસે મારા શરીરની બધી બાધાઓ દુર થાય રોગ શત્રુ દુર થાય અને સારા આરોગ્યની પ્રાપ્તી થાય ત્યાર બાદ હોળીમાં શ્રીફળ હોમવું ત્યારબાદ અબીલ,ગુલાલ,કંકુના છાટણા નાખવા ખજૂર અને ધાણી પણ પધરાવી શકાય હોળીમાં લવિંગ કપૂર પણ પધરાવી શકાય છે જેનાથી વાતાવરણ શુદ્ધ બને છે ત્યારબાદ ધર્મ સિંધુ ગ્રંથના નીયમ પ્રમાણે હોળીની ત્રણ પ્રદક્ષિણા ફરવી અને પ્રાર્થના કરવી. ૨૯ માર્ચ થી કુંભ ,મીન તથા મેષ રાશીના જાતકો મોટી પનોતી તથા સિંહ અને ધન રાશીના લોકોને શનિની નાની પનોતી શરૂ થશે,આથી હોળીનાં દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવા હનુમાનજીનું પૂજન કરવું. જેથી પનોતીમાં રાહત રહેશે. તથા મેષ. ધન .સિંહ રાશીના લોકોને રાહુ અશુભ ચાલે છે. ગોચરમાં રાહુ અશુભ ચાલતો હોવાથી હોળીનાં દિવસે મહાદેવજીને કાળા તલ ચડાવા તે ઉપરાંત મહાદેવજી ઉપાસનાં હોળીનાં દિવસે ખાસ કરવી જેથી રાહત રહેશે.
હોળી પ્રગટાવાના શુભ સમયની યાદી
ગખાસ કરીને હોલિકા દહન સમયે ભદ્રા હોવી જોઈએ નહીં આ વર્ષે ગુરૂવારે રાત્રિના સમયે ભદ્રા છે. પરંતુ, પંચાંગ પ્રમાણે ગુરૂવારે આવતી ભદ્રા પુણ્યવતી માનવામાં આવે છે આથી ગુરુવારે દિવસ આથમ્યા પછી રાત્રીના સમયે હોલિકા દહન કરવું શુભ ગણાશે
પ્રદોષકાળ નો શુભ સમય સાંજે ૬:૫૫ થી ૯.૧૮ સુધી ચોઘડિયાં પ્રમાણે શુભ સમય અમૃત ચોઘડિયુ ૬:૫૫ થી ૮.૨૫ કલાક સુધી છે
જ્યારે ચલ ચોઘડિયું રાત્રે ૮.૨૫ થી ૯.૫૫ સુધી છે. આમ સાંજે ૬-૫૫થી રાત્રે ૯-૫૫ સુધી હોળી પ્રાગટ્ય માટેનો શુભ સમય છે.
વ્રત રહેવાની પૂનમ પણ ગુરુવારે છે.