રાજકોટના તમામ ડેમ ભરેલા છતાં બે દિવસ લાખો લોકો રહેશે પાણી વગરના !!
- આજે વોર્ડ નં.૧, ૨ અને ૯ તો કાલે વોર્ડ નં.૯ અને ૧૦ના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ નહીં થાય
- આજી નદી પાસે વાલ્વ રિપેરિંગ કરવાનો હોવાથી પાણીકાપની જાહેરાત
રાજકોટમાં અતિ ભારે વરસાદને કારણે પીવાનું પાણી પૂરું પાડતાં તમામ જળાશયો ભરપૂર થઈ ગયા છે અને આવનારા મહિનાઓ સુધી સરકાર પાસેથી વેચાતું પાણી લેવાની જરૂર પડવાની નથી. જો કે ડેમ ભરેલા હોવા છતાં બે દિવસ સુધી મહાપાલિકા લાખો લોકોને પાણી વગરના રાખવાની છે ! આજે અને આવતીકાલે એમ બે દિવસ સુધી પાંચ વોર્ડના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેનાર હોવાની જાહેરાત થતાં જ ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો.
મહાપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે આજી નદી પાસે સ્કાવર વાલ્વનું રિપેરિંગ કરવાનું હોવાથી આજે વોર્ડ નં.૧ (પાર્ટ), ૨ (પાર્ટ), ૯ (પાર્ટ)માં પાણી વિતરણ થશે નહીં. જે વિસ્તારોમાં પાણી વિતરણ નહીં થાય તેમાં રામેશ્વર પાર્ક, વિદ્યુતનગર જજ બંગલો, આલાપ ગ્રીન સિટી, ગોવિંદનગર, ગોપાલનગર, હરસિદ્ધિ પાર્ક, ધરમનગર આવાસ યોજના, રવિ રેસીડેન્સી, ઋષિ વાટિકા, શાસ્ત્રીનગર, હિંમતનગર, સનસિટી એન્કલેવ, ઓસ્કાર ટાવર, લાભદીપ સોસાયટી, રાજીવ ગાંધી આવાસ યોજના, સત્યનારાયણ પાર્ક, અક્ષરનગર, ન્યુ મહાવીરનગર, સંતોષ પાર્ક, શિવ પાર્ક, લક્ષ્મી રેસિડેન્સી, ઓસ્કાર રેસિડેન્સી, શિવમ પાર્ક, સતાધાર, પાર્ક, રાધીકા પાર્ક, રંગ ઉપવન સોસાયટી, સરસ્વતી પાર્ક, દીપક સોસાયટી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.
જ્યારે આવતીકાલે તા.૨૮ને શનિવારે વોર્ડ નં.૯ના ૧૫૦ ફૂટ રિંગરોડ વિસ્તારમાં આવતા રિદ્ધિ સિદ્ધિ સોસાયટી, ગુલમહોર રેસિડેન્સી, ગુણાતીતનગર, અનામિકા સોસાયટી, તુલસી પાર્ક, સત્ય પાર્ક, શિવમ પાર્ક, ગોલ્ડન પાર્ક, હરિનગર, લક્કી પાર્ક, ત્રિલોક પાર્ક, નિવેદિતાનગર, પામ સિટી એપાર્ટમેન્ટ, અંજની પાર્ક, ક્રિષ્ના પાર્ક, સોમનાથ ૧-૨-૩ અને ૪, શિલ્પન કુંજ, ગુણાતીતનગર, ન્યુ અંબિકા પાર્ક, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પરિમલ સોસાયટી, યોગેશ્વર ફ્લેટ, દર્શન પાર્ક, હર્ષિલ પાર્ક, શિલ્પન ઓનિક્સ જ્ઞાન જીવન સોસાયટી, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, અમી પાર્ક, આફ્રિકા કોલોની, અમૃતા સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.