Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

શ્રદ્ધાળુઓ કુંભમેળા ભણી, દ્વારકા – સોમનાથ ખાલી-ખાલી

Wed, January 29 2025

સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામમાં ઉડે-ઉડે જેવી સ્થિતિ

પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ચાલુ મહિનામાં 4 લાખ જેટલા ભાવિકો આવ્યા : દ્વારકામાં 4.14 લાખ

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ઐતિહાસિક આયોજનમાં ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતી નદીના સંગમ સ્થાને 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ આસ્થાભેર ઉમટી રહ્યા છે ત્યારે મહાકુંભ મેળાની અસરતળે સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ મંદિરોમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઓટ આવી હોવાનું સામે આવ્યું છે. ચાલુ મહિનામાં સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે 4 લાખ જેટલા તો દ્વારિકામાં 14 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધીમાં 4.14 લાખ શ્રદ્ધાળુઓ જ દર્શનાર્થે આવ્યા હોવાનું સામે આવ્યું છે. સામાન્ય રીતે ઉપરોક્ત બન્ને મંદિરોમાં દરરોજ લાખોની સંખ્યમાં શ્રદ્ધાળુ આવતા હોય છે જે સંખ્યા આજે ઘટીને સરેરાશ 20 હજારની અંદર રહેતી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં દ્વાદશ જ્યોતિર્લિંગોમાંના પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર અને દ્વારકાના ભગવાન શ્રીકૃષ્ણના મંદિરે સામાન્ય દિવસોમાં દૈનિક લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શીશ ઝુકાવવા આવતા હોય છે પરંતુ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહા કુંભમેળો શરૂ થતા જ સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. દ્વારકામાં મકરસંક્રાંતિએ 1,15, 050 શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા બાદ 15મીએ દર્શનાર્થીઓની સંખ્યા ઘટીને 49,150 તેમજ તા.16મીએ તો 16500 દર્શનાર્થીઓ જ જગતમંદિરમાં દર્શનાર્થે આવ્યા હતા.

બીજી તરફ મહાકુંભમાં દિવસેને દિવસે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે, બુધવારે મૌની અમાવાસ્યા અવસરે કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા ભાગદોડ મચી ગઈ હતી સરકારના અંદાજ મુજબ 45 દિવસ ચાલનારા મહાકુંભમાં આ વર્ષે 40 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ આવશે તેવો અંદાજ સેવવામાં આવ્યો છે.હાલમાં ગુજરાતથી પણ મોટી સંખ્યામાં મહાકુંભમેળામાં જઈ રહ્યા છે ત્યારે સ્થાનિકે રાજ્યમાં આવેલ તમામ સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં યાત્રાળુ ઘટયા હોવાનું સામે આવ્યું છે.

વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરના સૂત્રોના મટે જાન્યુઆરી માસમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઘટાડો આવ્યો છે. ચાલુ માસમાં સોમનાથ મહાદેવ મંદિરમાં અંદાજે 4થી સાડાચાર લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે તે જોતા દૈનિક સરેરાશ 15 હજાર જેટલા જ યાત્રાળુઓ અહીં આવી રહ્યા છે. એ જ રીતે સૌરાષ્ટ્રના અન્ય મંદિર જોવામાં આવે તો ચોટીલા ચામુંડા માતાજી, કાગવડ ખોડલધામ સહિતના યાત્રાસ્થળ તેમજ સુપ્રસિદ્ધ અંબાજીમાં પણ મહાકુંભની અસરતળે શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી હોવાનું જાણવા મળે છે.

માટેલ ખોડિયાર માતાજીના મંદિરે ભક્તોનો અવિરત પ્રવાહ

મહાકુંભને કારણે સૌરાષ્ટ્રના અન્ય મંદિરોમાં ભાવિકજનોનો પ્રવાહ ઘટેલો જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં વાંકાનેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ખોડિયાર માતાજીના મંદિરના પૂજારી ચેતનભાઈનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, માટેલ ખાતે ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ છે, સામાન્ય રીતે લગ્નસરાની સીઝનમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં થોડો ફેરફાર જરૂર થતો હોય છે પરંતુ આગામી તા.5મીએ ખોડિયાર માતાજીનો પ્રાગ્યટ્ય દિવસ આવતો હોય મંદિરમાં ભક્તોની સંખ્યમાં વધારો થશે તેમ ઉમેર્યું હતું.

દ્વારકાધીશ મંદિરમાં 14થી 27 જાન્યુઆરીએ દર્શનાર્થે આવેલ શ્રદ્ધાળુઓ

તારીખ   શ્રદ્ધાળુઓની સંખ્યા

14 -1  –   1,15,050

15- 1   –       49,150

16 -1   –       16,500

17 -1   –       20,500                      

18 -1   –       18,500

19 -1   –        23,950

20 -1   –       19,000

21 -1   –       18,400

22 -1   –       16,000

23 -1   –       18,500

24 -1   –       17,500

25 -1   –       22,000

26 -1   –       22,500 

27 -1   –       17,500

28 – 1  –       17,500

Share Article

Other Articles

Previous

મોટા આયોજનમાં આવી નાની-નાની ઘટનાઓ બનતી રહે છે…!! મહાકુંભમાં થયેલી ભાગદોડ મામલે UP સરકારના મંત્રીની જીભ લપસી

Next

રાજેશ ખન્નાના ઘરે એસી રીપેર કરવા ગયો હતો આ અભિનેતા, પછી નસીબ ચમક્યું અને બની ગયો સુપરસ્ટાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ક્રિકેટર રીન્કુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજે કરી સગાઈ : જાણો કપલમાંથી કોણ છે વધુ અમિર? કેટલી છે સંપતિ
13 કલાક પહેલા
સુરતમાં મોડલનો ગળાફાંસો ખાઈ આપઘાત : અંતિમ રિલમાં લખ્યું આજે તે અહેસાસ કરાવી દીધો કે…!! વાંચો સમગ્ર ઘટના
14 કલાક પહેલા
India A vs England Lions : ભારતની પ્લેઇંગ ઇલેવનમાં ક્યા 4 ખેલાડીને મળશે તક, જાણો સંભવિત પ્લેઇંગ-11
14 કલાક પહેલા
રાજકોટમાં બંગાળી શેઠની બર્બરતા : બાળમજૂરની પૂંઠે સળીયો ખોસતા મૂત્ર માર્ગ થયો બંધ, સિવિલમાં સારવાર હેઠળ
14 કલાક પહેલા
Categories

નેશનલ

2167 Posts

Related Posts

કેજરીવાલે બનાવેલા શીશ મહેલને હવે પર્યટન સ્થળ તરીકે વિકસાવાશે, દિલ્હી સરકારના બજેટમાં થઈ જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
મોદી પોતાની નિવૃતિની ચર્ચા કરવાનાગપુર ગયા હોવાનો રાઉતનો દાવો
ટ્રેન્ડિંગ
2 મહિના પહેલા
રાજકોટમાં એક ઉદ્યોગપતિએ અયોધ્યા રામ મંદિરની આબેહૂબ પ્રતિક રૂપે વુડનનું મંદિર તૈયાર…જુઓ વિડિયો..
રાજકોટ
1 વર્ષ પહેલા
મહારાષ્ટ્રની મહાયુતિમાં નવા જુનીના એંધાણ:અજીત પવાર ભારે નારાજ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર