Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

કોંગ્રેસ કડડભૂસ અર્જુન મોઢવાડિયાનું રાજીનામું

Tue, March 5 2024

અર્જુનના તીરથી કોંગ્રેસ મરણતોલ ઘાયલ

અંબરીશ ડેરે પણ ભગવો ધર્યો

પુંજાભાઇ વંશ પણ છેડો ફાડવાની તૈયારીમાં?

સાતમી તારીખે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈ ગુજરાતમાં આવવાના છે તે પહેલા જ ગુજરાતમાં કોંગ્રેસના ભાગ્યા તૂટ્યા કિલ્લાના બચી ગયેલા મુઠ્ઠીભર કાંગરા પણ કડડભૂસ થઈ ગયા છે. સોમવારે પોરબંદરના કોંગી ધારાસભ્ય અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ રાજીનામું આપી દેતા લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને કારમો ઝાટકો લાગ્યો છે. એ પહેલા સોમવારે બપોરે રાજુલાના ભૂતપૂર્વ કોંગી ધારાસભ્ય અંબરીશ ડેરે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. મોઢવાડિયા અને ડેર સંભવત મંગળવારે વિધિવત ભાજપમાં પ્રવેશ કરશે.બીજી તરફ ઉનાના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ કોળી નેતા પુંજાભાઈ વંશ પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.


અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા જેવા મોટા ગજાનાં નેતાઓ ભાજપમાં જોડાશે તેવી ઘણા સમયથી ચાલતી અટકળો અંતે સાચી પડી છે. સોમવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે અંબરીશ ડેરના નિવાસ્થાનની મુલાકાત લઈ તેમના નાદુરસ્ત માતાની તબિયતના હાલ જાણ્યા હતા. તેની ગણતરીની કલાકો બાદ અંબરીશ ડેરે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસે તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા.


અર્જુનભાઈએ સાંજે વિધાનસભામાં જઈને અધ્યક્ષને ધારાસભ્ય પદેથી રાજીનામાનો પત્ર સુપ્રત કર્યો હતો અને બાદમાં કોંગ્રેસ છોડવાની જાહેરાત કરતા કોંગી છાવણીમાં સન્નાટો પ્રસરી ગયો હતો. મોઢવાડિયા પ્રથમ વખત ૧૯૯૮માં પોરબંદરની બેઠક પરથી ધારાસભાની ચૂંટણી લડ્યા હતા. ત્યારથી અત્યાર સુધીની ત્રણ દાયકાની કારકિર્દી દરમિયાન તેમણે પક્ષ પ્રમુખ તેમજ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકેની જવાબદારીઓ સંભાળી હતી. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના અનેક મોટા ગજાનાં નેતાઓએ પક્ષ સાથે છેડો ફાડ્યો ત્યારે પણ અર્જુનભાઈએ કોંગ્રેસનો ગઢ સાચવી રાખ્યો હતો. હવે તેમણે પણ રાજીનામું આપી દેતા કોંગ્રેસની હાલત કંગાળ થઈ ગઈ છે.

કઇ રીતે પાર પડ્યું ઓપરેશન કમલમ્?
સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપની ઘણા વખતથી અંબરીશ ડેર ઉપર નજર હતી. ભાજપના પક્ષ પ્રમુખ સી આર પાટીલ ભૂતકાળમાં જાહેરમાં તેમને ભાજપમાં જોડાવાનું આમંત્રણ આપી ચૂક્યા હતા. હિન્દુત્વની વિચારધારા સાથે જોડાયેલા ડેર કોંગ્રેસમાં ગુંગરામણ અનુભવતા હતા. તેમને ભાજપમાં લાવવામાં એક લોકસાહિત્યકારની મહત્વની ભૂમિકા હોવાનું માનવામાં આવે છે.ભાજપના વર્તુળોના જણાવ્યા અનુસાર રાજુલાના ભાજપના વર્તમાન ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ બેઠક ઉપરથી રાજીનામું આપી ભાવનગરની બેઠક ઉપરથી સંસદની ચૂંટણી લડશે અને ખાલી પડેલી એ બેઠક પર અમરીશ ડેર ભાજપની ટિકિટ ઉપર ચૂંટણી લડી પુન ધારાસભ્ય બનશે. તેમને પણ મંત્રી પદ આપવામાં આવે તેવી સંભાવના છે. ડેરના રાજીનામાં સાથે ભાજપ માટે લોકસભાની ચૂંટણીમાં અમરેલીની બેઠક ઉપર અને મોઢવાડિયા ના રાજીનામાં સાથે પોરબંદરની બેઠક ઉપરનો રહ્યો સહ્યો પડકાર પણ દૂર થઈ ગયો છે.

મોઢવાડિયાને મોભાદાર મંત્રી પદ અપાશે
અહેમદભાઈ પટેલના નિધન બાદ કોંગ્રેસનું હાઈ કમાન્ડ ગુજરાતના પાયાના કાર્યકરો અને નેતાઓ સાથે સંપર્ક ગુમાવી ચુક્યું હતું. ત્રણ ત્રણ દાયકા સુધી સૌરાષ્ટ્ર નો ગઢ જાળવી રાખનાર મોઢવાડિયા હાંસિયામાં ધકેલાઈ જતા હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. અંતે તેમણે કોંગ્રેસને અલવિદા કરી દીધું. તેઓ હવે ભાજપની ટિકિટ ઉપર ધારાસભાની ચૂંટણી લડશે અને બાદમાં તેમને કેબિનેટમાં મોભાદાર મંત્રી પદ આપવામાં આવશે.

પુંજાભાઇ ભાજપમાં જોડાય તો જૂનાગઢની ટિકિટ નક્કી
ઉનાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના દિગ્ગજ કોળી નેતા પુંજાભાઈ વંશ પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની અટકળો તેજ બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભાની જૂનાગઢની બેઠક ઉપર ભાજપ વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને બદલવા માંગે છે.જો પુંજાભાઈ વંશ ભાજપમાં જોડાય તો તેમને લોકસભાની ટિકિટ આપવામાં આવશે. જો કે વોઇસ ઓફ ડે' સાથેની વાતમાં પુંજાભાઇ એકોંગ્રેસ છોડવાની કોઈ વાત નથી’ તેમ જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

ચૂંટણીના પરિણામો સુધી શેરબજારમાં અફડા તફડીનો માહોલ રહેશે

Next

ગ્રીન ટી ક્યારે પીવી અને ક્યારે નહીં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
થિયેટરોમાં જોરદાર હિટ થયેલી ફિલ્મ Kantara Chapter 1  OTT પર થશે રીલીઝ : જાણો ક્યારે અને કયા જોવા મળશે બ્લોકબસ્ટર ફિલ્મ
3 કલાક પહેલા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી : વડાપ્રધાનની હાજરીમાં યોજાશે ભવ્ય પરેડ
3 કલાક પહેલા
ગુજરાત સહિત 12 રાજ્યોમાં આજે રાત્રે 12 વાગ્યે શરૂ થશે SIRનો બીજો તબક્કો : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની મોટી જાહેરાત
3 કલાક પહેલા
3 વર્ષ પછી રાજકોટથી દિલ્હીની સવારની 2-2 ફલાઈટનું ટેકઓફ: પ્રથમ દિવસે 350 પેસેન્જરોની ઉડાન
4 કલાક પહેલા
Categories

નેશનલ

2596 Posts

Related Posts

મણિપુરમાં બેકાબૂ હિંસા: નદીમાં તરતી નિર્વસ્ત્ર મહિલા અને સગીરાની લાશો મળી
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
કમાતી પત્ની પાસેથી ઘર ખર્ચ માંગવો એ ક્રુરતા નથી : કોલકત્તા હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
અયોધ્યામાં પાંચ કિમી સુધી દેખાશે આતશબાજી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
4થી માર્ચે યોજાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારોહ
રાજકોટ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર