એરપોર્ટ ફાટક મેન્ટેનન્સ કાર્ય માટે 7 દિવસ માટે આંશિક રીતે બંધ
રાજકોટ ડિવિઝનના રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં આવેલો રેલ્વે ક્રોસિંગ નં. ૪ (એરપોર્ટ ફાટક) ૧૮ માર્ચ થી ૨૪ માર્ચ, ૨૦૨૫ સુધી ૭ દિવસ માટે મેન્ટેનન્સ કાર્ય માટે આંશિક રીતે બંધ રહેશે.
એક યાદીમાં જણાવાયા અનુસાર, ૧૮ માર્ચથી ૨૧ માર્ચ સુધી, આ ફાટક પર વન-વે ટ્રાફિક રહેશે, એટલે કે, એક બાજુ સંપૂર્ણપણે બંધ રહેશે અને બીજી બાજુ રોડ ટ્રાફિક માટે ખુલ્લો રહેશે.
૨૨ માર્ચના રોજ રાત્રે ૯.૦૦ વાગ્યાથી ૨૩ માર્ચના રોજ સવારે ૪.૦૦ વાગ્યા સુધી આ ફાટક બંને બાજુના રોડ ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ રહેશે.
૨૩ માર્ચના રોજ રાત્રે ૯.૦૦ વાગ્યાથી ૨૪ માર્ચના રોજ સવારે ૪.૦૦ વાગ્યા આ ફાટક સુધી બંને બાજુના રોડ ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ રહેશે.
૨૪ માર્ચ ના રોજ આ ફાટક પર વન-વે ટ્રાફિક રહેશે, એટલે કે એક બાજુ સંપૂર્ણપણે બંધ રહેશે અને બીજી બાજુ રોડ ટ્રાફિક માટે ખુલ્લો રહેશે.
આ સમયગાળા દરમિયાન રોડ યુઝર્સ આમ્રપાલી અંડરપાસ અને રાજકોટ-ભક્તિનગર સેક્શન માં આવેલ રેલ્વે ક્રોસિંગ નંબર 3 (ભોમેશ્વર ફાટક) નો ઉપયોગ કરી શકે છે.