40 વર્ષ બાદ રાજકોટની બજારો રોશનીથી ઝળહળશે નહિ
20 ફૂટ સુધી ડેકોરેશન નહિ કરવાનો ફાયરનો નિયમ નડી ગયો:લાખાજીરોડ,સાંગણવા ચોક, ધર્મેન્દ્ર રોડ, એકાટા રોડ સહિતની માર્કેટના વેપારીઓનો નિર્ણય
40 વર્ષ બાદ પ્રથમ વખત રાજકોટની સ્થાનિક બજારો આ દિવાળીએ રોશનીથી ઝગમગશે નહિ,ફાયરના નિયમોની આટી ઘૂંટીના લીધે આ વર્ષે બજારમાં આવેલા વેપારીઓએ રોશનીનો શણગાર નહીં કરવા માટેનો નિર્ણય કર્યો છે. શહેરમાં આવેલી અલગ અલગ બજારોના પ્રતિનિધિઓ અને વેપારીઓ દ્વારા દર વર્ષે દશેરા બાદ દેવદિવાળી સુધી તમામ શેરીઓ અને વિસ્તારોને નવી રોશનીઓથી શણગારવામાં આવે છે.
આ વર્ષે વેપારીઓએ રોશની ઝગમગાટ ન કરવાનું નક્કી કર્યું છે, જેની પાછળ ફાયરના નિયમોને લીધે મુલતવી રાખ્યું છે. વેપારીઓના જણાવ્યા અનુસાર નિયમ અનુસાર 20 ફૂટની ઉંચાઈ સુધી રોશની કરી શકાશે નહીં,જો આટલી ઊંચાઈ પર રોશની કરવામાં આવે તો ત્યાંથી આગનો બનાવ બને તો ફાયર ફાઈટર ના વાહનોને નીકળવામાં મુશ્કેલી ઊભી થાય છે આથી આ વર્ષે નવા નિયમ અનુસાર 20 ફૂટની ઊંચાઈનું અંતર રાખીને લાઇટિંગ કરી શકાય આ નવા નિયમ નો પરિપત્ર આવ્યો છે જ્યારે વધારે ઊંચાઈ પર લાઇટિંગ કરવામાં આવે તો તેનો ખર્ચ વધી જાય છે આથી આ વખતે વેપારીઓએ બજારમાં રોશનીનો ઝગમગાટ કરવાનું મુલતવી રાખ્યું છે.
તંત્રની સહાય વગર વેપારીઓ દ્વારા 40 વર્ષથી લાખાજીરાજ રોડ, સાંગણવા ચોક ધર્મેન્દ્ર રોડ ઘીકાંટા રોડ સહિત સમગ્ર બજારને દર વર્ષે દિવાળીમાં 15 દિવસ સુધી લાઇટિંગ થી સજાવવામાં આવતી હતી અને આ રોશનીનો ઝળહળાટનો નજારો નિહાળવા માટે શહેરીજનો ઉમટતા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે એ લોકડાઉનને બાદ કરતા દર વર્ષે બજારમાં રોશની કરવામાં આવતી હતી.