લોકોની મદદ માટેકાર્યરત પોલીસ કંટ્રોલરૂમમાં એક રાત….
ટ્રીન ટ્રીન.. હેલ્લો પોલીસ કંટ્રોલ રૂમ..!!!
સામાન્ય દિવસોમાં રાત્રે 25 થી 30 અને પ્રસંગોમાં 50 થી 60 ફરિયાદોથી પોલીસ કંટ્રોલના ફોન સતત રણકતા રહે છે
પોલીસ પ્રજાની મિત્ર છે તે સાબિત કરવા અને લોકો સુધી મદદ માટે પોલીસનીઝડપી પહોંચે તેમાટે પોલીસ કંટ્રોલ રૂમ સતત કાર્યરત છે. પોલીસ કંટ્રોલ રૂમમાં ખાસ કરીને રાત્રિના કેવો માહોલ હોય છે. પોલીસ કન્ટ્રોલમાં રાત્રે કેવા ફોન આવે છે અને તે ફોન બાદ પોલીસ કંટ્રોલનો સ્ટાફ શું કામગીરી કરે છે ? તે જાણવાનો વૉઇસ ઓફ ડે દ્વારા પ્રયાસ કરાયો હતો.
પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવના સીધા દેખરેખ હેઠળ પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત છે. પોલીસ કંટ્રોલ રૂમમાં એક શિફ્ટમાં 15 મળી ત્રણ શિફ્ટમાં કુલ 45 પોલીસ સ્ટાફ ફરજ બજાવે છે. એસીપી કટ્રોલ તરીકે વી. જી. પટેલના સુપરવાઈઝિંગમાં એક શિફ્ટમાં પીએસઆઈ સહિત 15 કર્મીઓ ફરજ બજાવે છે.

પોલીસ કન્ટ્રોલ રૂમમાં સામાન્ય દિવસોમાં સરેરાશ રોજખાસ કરીને રાત્રિના 25 થી 30 જેટલા કોલ આવે છે અને લગ્ન પ્રસંગ અને તવહેવારોમાં 50 થી 60 કોલ આવે છે તે કોલ મળ્યાની ગણતરીની મિનિટોમાં જ પોલીસ મદદ માટે પહોંચી જાય છે. લોકો ગુના સંબંધી જાણકારી તેમજ પોલીસને મદદ કરવામાટે પોલીસ કંટ્રોલમાં ફોન કરે છે.ઘણી વખત પોલીસ રાત્રિના મહિલાઓને ઘરે જવા માટે કોઇ મુશ્કેલી હોય તો તેઓ પણ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી મદદ માંગે છે. આ ઉપરાંત ચોરી,લૂંટ,હત્યા, મારામારી, અકસ્માત,દારૂ પીધેલા અને છેડતી જેવા બનાવ બને તોપણ તુરંત પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરે તોપોલીસ કંટ્રોલ રમ આ ફરિયાદને આધારે તુરંત કાર્યવાહી કરવા જે તે પોલીસ મથકની પીસીઆરને જાણ કરે છે. રાજકોટ પોલીસ પાસે એક પોલીસ મથક દીઠ 2 પીસીઆર વાન છે. બનાવ સ્થળને ધ્યાને લઈ જે વિસ્તારના પોલીસ મથકની પીસીઆરને બનાવ અંગે વાકેફ કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં અને તહેવારોમાં પોલીસ કંટ્રોલ રૂમમાં 10:30 થી 12 સુધીમાં સૌથી વધુ કોલ મળે છે. ખાસ કરીને લગ્ન સરાની સિઝનમાં તહેવારોમાં મોડી રાત સુધી નિયમ ભંગ કરી ઘોંઘાટ અને ડી.જે. વગતા હોય તે સંબંધી 50 થી 60 ફરિયાદ મળે છે. ઉપરાંત રાતે કોઈ દારૂ પી ધમાલ કરતું હોય કે મારામારી કે હુમલાના બનાવોના ફોન કરનાર નાગરિક જો પોતાનું નામ ન આપવા ઈચ્છે તો જાગૃત નાગરિક તરીકે નોંધ કરી જે તે પોલીસ મથકને જાણ કરાય છે અને પોલીસની પીસીઆર સ્થળ ઉપર જઈ મોડી રાત સુધી ચાલુ માઇક બંધ કરાવે છે અને જરૂરી કાર્યવાહી કરી પોલીસ કંટ્રોલ રૂમને તે બાબતે વાયરલેશ ઉપર મેસેજ આપે છે. જેની પોલીસ કંટ્રોલ રૂમનો સ્ટાફ સમય સાથે નોંધ કરે છે ફોન કરનારે કરેલી ફરિયાદનો સમય અને પીસીઆર પહોંચી તે સમયની નોંધ કરવામાં આવે છે.ગંભીર બનાવમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા જાણ કરવામાં આવે છે. મારામારી જેવા બનાવો વખતે પીસીઆર ઇજાગ્રસ્ત કે ફરિયાદ કરનારને પીસીઆરમાં પોલીસ મથક કે હોસ્પિટલ સુધી પણ પહોંચાડે છે.

સમયના પાબંદ સીપી દર બે કલાકે એસીપી-પીઆઇનું મેળવે છે લોકેશન
સમય અને સીસ્તના પાબંદ પોલીસ કમિશ્નર રાજૂ ભાર્ગવ પોલીસ કંટ્રોલ રૂમ મારફતે બે કલાકે રાજકોટ શહેરના તમામ એસીપી અને પી. આઈ તેમજ થાણા ઇન્ચાર્જનું પોલીસ કંટ્રોલ રૂમ મારફતે લોકેશન મેળવે છે તેમજ પોલીસ કંટ્રોલ રૂમમાં આવતા ફોન અને ફરિયાદ વિશેની ઝીણવટ ભરી તમામ વિગતોની ચકાસણી કરે છે. ભૂતકાળમાં તત્કાલીન પોલીસ કમિશ્નર સુધીર સિન્હાએ પોલીસ કંટ્રોલ રૂમ મારફતે શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકરીઓના લોકસેશ મેળવવાની નવતર પહેલ કરી હતી બાદમાં હાલના પોલીસ પોલીસ કમિશ્નર રાજૂ ભાર્ગવે પોલીસ કંટ્રોલ રૂમ મારફતે પોતાના તાબા હેઠળના અધિકારીના લોકેશન મેળવે છે જેથી અધિકરીઓની સરતક અને સજાગ રહે

પોલીસ કંટ્રોલ રૂમની કામગીરીનું દરરોજ અધિકારીઓ દ્વારા મૂલ્યાંકન
પોલીસ કંટ્રોલ રૂમમાં 24 કલાક ફોન આવે છે. આ 24 કલાકની પોલીસ કંટ્રોલ રૂમની કામગીરી અંગે એક લોગ શીટ તૈયાર થાય છે. જે લોગ શીટ દરરોજ સવારે અને સાંજે પોલીસ કમિશ્નર રાજૂ ભાર્ગવ ઉપરાંત જેસીપી વિધિ ચૌધરી,ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઇમ બી. બી. બસીયા પાસે વંચાણે જાય છે. કંટ્રોલ રૂમમાં હત્યા,લૂંટ, રાયોટિંગ હત્યાની કોશિશ સહિતના ગંભીર બનાવો બને તેની નોંધ થઈ હોય તે બનાવોમાં જે-તે પોલીસ મથકનો સ્ટાફ કેટલા સમયમાં ત્યાં પહોંચ્યો અને શું કામગીરી કરી તે અંગેની નોંધ પોલીસ કંટ્રોલ રૂમમાંલોગ શીટ કરવામાં આવે છે અધિકારીઓ આ લોગ શીટ અંગેની માહિતીની ચકાસણી કરે છે.
કંટ્રોલ રૂમમાં આવેલ એક ફોન અને ગુનેગાર જેલમાં
પોલીસ કંટ્રોલ રૂમમાં ઘણા એવા કોલ પણ આવે છે જેની માહિતીણે આધારે ગુનેગાર પકડાઈ જાય છે. રાજકોટમાં તાજેતરમાં 18 લાખનો વિદેશી દારૂ ભરેલ કન્ટેનર પકડાયું હતું જેની માહિતી એક જાગૃત નાગરિક દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને આપવામાં આવી હતી અને ફોન કરનારની માહિતીણે આઘારે પોલીસ દરોડો પાડ્યો અને નામચીન બુટલેગરનો 18 લાખનો દારૂ ઝડપાયો ભૂતકાળમાં પણ પોલીસ કંટ્રોલ રૂમમાં આવેલ ફોન અને માહિતીએ અનેક વખત ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધાના દાખલા છે.