અંધજન મંડળ ખાતે સાહિત્ય સર્જન અને પઠન શિબિર યોજાઈ
ભારતીય સમુદાય શિક્ષણ સંઘ આયોજિત સાહિત્ય સર્જન અને પઠન શિબિર તારીખ 7ઓગસ્ટ થી 9ઓગસ્ટ સુધી અંધજન મંડળ ખાતે યોજવા મા આવી હતી. જેમાં ધોરણ 8 થી 12 મા અભ્યાસ કરતા 45 પ્રજ્ઞાચકસુ જોડાયા હતા. શિબિર મા ગુજરાતી સાહિત્ય બે સ્વરૂપો કાવ્ય અને ટૂંકી વાર્તા પર સર્જન અને પઠન કરવા મા આવ્યું હતું. શિબિર ના ઉદઘાટન અને પુર્ણાહુતી સંસ્થા ના ટ્રસ્ટી ર્ડો. મંદા બેન પરીખ અને અંધજન મંડળ ના આચાર્ય શ્રી મનુભાઈ ચૌધરી હાજર રહિયા હતા. શિબિર મા શ્રી માધવ રામાનુજ, શ્રી પારસ ભાઈ દવે, શ્રી રણછોડ ભાઈ સોની, યાહ્યા સપતવાળા, તજજ્ઞ તરીકે અને શિબિરાથી ઓ એ કરેલ સર્જન કવિતા અને ટૂંકી વાર્તા ના પ્રતિભાવ માટે ર્ડો. દલપત ભાઈ પઢીયાર, શ્રીમતી લત્તા બેન હિરાણી, ર્ડો. હરિ ભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહેલા. સમગ્ર શિબિર નું સંચાલન વિમળા બેન મકવાણા એ કરેલ હતુ.