સૌરાષ્ટ્રમાં દર વર્ષે 250 લીવરટ્રાન્સપ્લાન્ટ થાય છે, હજુ ઓર્ગન ડોનેશન અવેરનેસ જરૂરી
રાજકોટમાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ અને લીવરસર્જનની કોન્ફરન્સ યોજાઈ,200થી વધુ તબીબોની હાજરી:નવા રિસર્ચ અને ટેકનોલોજી પર માર્ગદર્શન, ડો.પ્રફુલ કામાણી,ડો. સ્વપ્નિલ શર્મા,ડો.પાર્થ વાઘડિયાની હાજરી
સૌરાષ્ટ્રમાં દર વર્ષે અઢીસો જેટલા અને દેશભરમાં 4000 જેટલા લીવરટ્રાન્સપ્લાન્ટ થાય છે જ્યારે દેશમાં પ્રતિ વર્ષ 10,000 દર્દીઓને લીવરની જરૂર છે,જેના માટે હજુ ઓર્ગન ડોનેશન જાગૃતિ વધુને વધુ લાવવાની આવશ્યકતા હોવાનું રાજકોટ ખાતે યોજાયેલી લીવર સર્જનની કોન્ફરન્સમાં ડોકટરોએ આ વિષય પર ચર્ચા કરી હતી.
રાજકોટની હોટલ સયાજી ખાતે યોજાયેલી લીવરસર્જન તબીબોની કોન્ફરન્સમાં રાજકોટના જાણીતા ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડો. પ્રફુલ કામાણી, મુંબઈથી વોકાર્ડ હોસ્પિટલનાં લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડોક્ટર સ્વપ્નિલ શર્મા, મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડો.પાર્થ વાઘડિયા સહિત અનેક નામાંકિત અને અનુભવી 200 જેટલા તબીબોએ લીવર ટ્રાન્સ પ્લાન્ટ કરાવવું કે નહીં? કઈ રીતે ફાયદો થાય છે? નવી ટેકનોલોજી અને અત્યારે મેડિકલ ઇક્વિપમેન્ટ વગેરે વિષય પર ગાઈડન્સ આપ્યું હતું.
આ કોન્ફરન્સમાં તબીબોએ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી અટયરે સર્જન વિદેશમાંથી અદ્યતન અને નવી ટેકનોલોજી શીખીને આવે છે જેના કારણે આપણા દેશમાં નવી સુવિધાઓ મળતી થઈ રહી છે.જો કે દર વર્ષે આપણા દેશમાં 10,000 જેટલા દર્દીઓને લીવરની જરૂરિયાત ઊભી થતી હોય છે. જેમાંથી 4000 જેટલા લોકોને સરળતાથી લીવર મળી જતું હોય છે. બાકીના 6000 દર્દીઓની લીવર મળતું નથી તેના કારણે અનેક લોકોને બચાવી શકાતા નથી,એક બ્રેઇન ડેડ વ્યક્તિ લીવરનાં ડોનેશનથી બે વ્યક્તિને નવજીવન આપી શકાય છે.આથી હજુ ઓર્ગન ડોનેશન જેટલું વધારે થશે એટલું લોકોને નવું જીવન આપી શકાશે તેમ તબીબોએ જણાવ્યું હતું.