છત્તીસગઢમાં ભાજપે કેવા વચન આપ્યા…. જુઓ
છત્તીસગઠમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો હતો. ગૃહમંત્રી અમિત શાહે રાયપુરમાં ભાજપ કાર્યાલય કુશાભાઉ ઠાકરે પરિસરમાં બીજેપીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. જેમાં રૂપિયા 500 માં ગેસ સિલિન્ડર અને પરિણીત મહિલાઓને વાર્ષિક 12 હજાર રૂપિયા આપવાનું વચન અપાયું છે. એ જ રીતે રાજ્યમાં રામલલ્લા દર્શન યોજના શરૂ થશે. શક્તિપીઠોનો વિકાસ કરવામાં આવશે. 2 વર્ષમાં 1 લાખ ખાલી પદ પર ભરતી થશે. 18 લાખ ઘર બનાવવામાં આવશે.
આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ચૂંટણી ઢંઢેરો અમારા માટે સંકલ્પ પત્ર હોય છે. છત્તીસગઢની સ્થાપનાનો ઉદ્દેશ્ય વિકાસની મુખ્ય ધારામાં સમ્મેલિત કરવાનો હતો. અમને છત્તીસગઠ માટે કામ કરવાની તક મળી. છત્તીસગઢ 15 વર્ષમાં બીમાર રાજ્યમાંથી એક સારા રાજ્યમાં પરિવર્તિત થયું છે. હવે ફરીથી ચૂંટણી આવી છે. છત્તીસગઢની જનતા પરિવર્તન કરવા જઈ રહી છે. અમે છત્તીસગઢને સંપૂર્ણ વિકસિત રાજ્ય બનાવવાનું કામ કરીશું.
છત્તીસગઢને નક્સલવાદમાંથી બહાર લાવવાનું કામ બીજેપીએ કર્યું છે. મનરેગામાં 150 દિવસની રોજગારી આપનારું રાજ્ય છત્તીસગઢ બન્યુ છે. છત્તીસગઢમાં વિદ્યાર્થીઓને મફત લેપટોપ, ટેબ આપવાનું કામ કરવામાં આવ્યુ છે.