Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

શું બોલ્યા હતા મોદી – શાહ – નીતીશ – નાયડુ ? સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે જુના વિડીયો

Sat, June 8 2024

નેટિઝન્સનો સવાલ,” નીતીશ નાયડુના વચનો કેટલા વિશ્વાસપાત્ર ?

ભારતમાં એનડીએ ની સરકાર રચાઇ રહી છે. ટીડીપીના નેતા ચંદ્રાબાબુ નાયડુ અને જેડીયુના સર્વે સર્વા નીતીશકુમાર કિંગ મેકર બન્યા છે. આ બંને પક્ષો ભૂતકાળમાં પણ એનડીએના ઘટક પક્ષ હતા અને પછી વિવાદ થતા છૂટા પડ્યા હતા. આ વખતે પરિણામ જાહેર થયા બાદ દિલ્હી ખાતે મળેલી એનડીએ ની બેઠકમાં બંને નેતાઓએ વડાપ્રધાનના નેતૃત્વની ભરપૂર પ્રશંસા કરી. ચંદ્રાબાબુએ કહ્યું કે દેશને યોગ્ય સમયે યોગ્ય નેતા મળ્યા છે. નીતીશકુમારે તો મોદીના ચરણ સ્પર્શ કરવાનો પણ પ્રયત્ન કર્યો. એકંદરે આ બંને નેતાઓએ વડાપ્રધાનને પુરા પાંચ વર્ષ સુધી સમર્થન આપવાનો વિશ્વાસ અપાવ્યો પણ રાજકારણમાં એક પણ સંબંધો શાશ્વત નથી હોતા. તકવાદી રાજકારણમાં સદા કાળ માટે કોઈ કોઈનું નથી હોતું. બોલેલું ફરી જવામાં રાજકારણીઓને શરમ નથી નડતી. રાજકારણીઓ કાંચીડા ની માફક રંગ બદલે છે. આજના દોસ્તો આવતીકાલે દુશ્મન બની જાય છે ત્યારે આ બંને નેતાઓ વિશે ભૂતકાળમાં મોદી અને શાહે કરેલી ટિપ્પણીઓ અને આ બંને નેતાઓએ વડાપ્રધાન માટે કરેલા ઉચ્ચારણોની સેંકડો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. રાજકીય નેતાઓ સમય અને સંજોગો અનુસાર વક્તવ્ય આપતા હોય છે એ સાચું પણ સાથે જ રાજકીય સંબંધો પણ તકલાદી હોય છે એ સત્યની યાદ આ બધા વિડિયો અપાવે છે. દેશ સ્થિર શાસન ઈચ્છે છે પણ અત્યારે મોદીને સમર્થન આપી રહેલા આ નેતાઓ કેટલા વિશ્વાસપાત્ર ગણાય તે પ્રશ્ન દેખીતી રીતે જ ચર્ચામાં છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા જુના વિડીયો, નેતાઓની એકબીજા માટેની ટિપ્પણીઓ અને ઉચ્ચારણોની ઝલક નિહાળીએ.

નાયડુ માટે મોદીએ કહ્યું હતું,”એ સિનિયર છે, સસરા ની પીઠમાં છુરો ભોંકવામાં”

વડાપ્રધાન મોદીએ પ્રચાર સભામાં ચંદ્રાબાબુ નાયડુની આ શબ્દોમાં ધોલાઈ કરી હતી. ” તેઓ મને યાદ દેવડાવે છે કે તે મારાથી ખૂબ સિનિયર છે. અરે ભાઈ! એમાં શું વિવાદ છે? તમે સિનિયર છો એટલે મેં તમારા સન્માનમાં ક્યારેય કોઈ કમી નથી છોડી. તમે સિનિયર છો દળ બદલવામાં. તમે સિનિયર છો નવા નવા દળો સાથે ગઠબંધન કરવામાં. તમે સિનિયર છો પોતાના ખુદના સસરાની પીઠમાં છૂરો ભોંકવામાં. તમે સિનિયર છો એક ચૂંટણી પછી બીજી ચૂંટણીમાં હારવામાં. અને.. હું તો તેમાં સિનિયર છું જ નહીં”

ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું,”પબ્લિસિટી પ્રાઇમ મિનિસ્ટર છે પર્ફોર્મિંગ પ્રાઇમ મિનિસ્ટર નહીં”

કોલકત્તામાં વિપક્ષોની સંયુક્ત સભાને સંબોધન કરતા ચંદ્રબાબુ નાયડુ એ આ શબ્દો કયા હતા.
” આ વડાપ્રધાન પબ્લિસિટી પ્રાઇમ મિનિસ્ટર છે પર્ફોર્મિંગ પ્રાઇમ મિનિસ્ટર નથી. આપણે પરફોર્મિંગ પ્રાઇમ મિનિસ્ટર જોઈએ છે… તેમણે ખેડૂતોને દગો આપ્યો છે. તેમણે એમએસપી નું વચન આપ્યું હતું જે પાડ્યું નથી.ચાર વર્ષમાં ખેડૂતોની આવક ડબલ કરવાનું વચન આપ્યું હતું. નથી એમએસપી વધી કે નથી ખેડૂતોની આવક ડબલ થઈ. તેમણે બધા ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. ખેડૂતો આપઘાત કરે છે. એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. બધા ખેડૂતો આર્થિક કટોકટીમાં છે. રાષ્ટ્રનો કૃષિ વિકાસ દર ઇતિહાસનો સૌથી ઓછો માત્ર 1.5 ટકા છે. વેસ્ટ બેંગાલ,કર્ણાટક અને દિલ્હીમાં નેશનલ ગવર્મેન્ટ કરતા વિરોધ પક્ષની સરકારોનું વધુ સારું પ્રદર્શન છે.” **Ndtv સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું” અમે ભૂતકાળમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું તે રાજકીય મજબૂરી હતી પણ આજે લોકશાહીની મજબૂરી છે. સીબીઆઇ, ઇડી, ઇન્કમટેક્સ બધા આક્રમણ કરે છે. બધી સંસ્થાઓ તોડી પાડવામાં આવી છે.” તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે દેશનું નેતૃત્વ કરવા બીજા કોઈ સક્ષમ નેતા છે? ત્યારે તેમણે કહ્યું કે બધા નેતાઓ મોદી કરતાં વધારે સક્ષમ છે.

અમિત શાહે કહ્યું હતું,”ચંદ્રાબાબુ માટે એનડીએના દરવાજા બંધ છે”

ગૃહ મંત્રી અમિત શાહે એક સભામાં કહ્યું હતું હતું,” મિત્રો! તેમના મનમાં એમ છે કે પરિણામ પછી મોદીજીની સરકાર આવશે તો ફરીથી એનડીએ માં ચાલ્યા જશું. પણ, ચંદ્રાબાબુજી! એનડીએ ના દરવાજા આપના માટે હંમેશા માટે બંધ થઈ ગયા છે, બંધ થઈ ગયા છે”.

નીતીશકુમાર માટે શું કહ્યું હતું અમિત શાહે? અને કેવો હુંકાર કર્યો હતો નીતીશકુમારે?

બિહારની સભામાં ગૃહ મંત્રીએ કહ્યું હતું,” એક વાત સ્પષ્ટ કરી દઉં છું. કોઈના પણ મનમાં એ સંશય હોય કે ચૂંટણીના પરિણામો પછી નીતિશ બાબુને ફરીથી ભાજપા એનડીએમાં લેશે તો, હું બિહારની જનતાને સ્પષ્ટ કહેવા માગું છું અને લલન બાબુને પણ સ્પષ્ટ કહેવા માગું છું કે આવા લોકો માટે ભાજપના દરવાજા હંમેશા માટે બંધ થઈ ચૂક્યા છે”.વળતા જવાબમાં નીતીશકુમાર એ કહ્યું હતું,” એક વાત સારી રીતે યાદ રાખી લેજો, અમને મરવાનું કબુલ છે પણ તેમની સાથે જવાનું અમને ક્યારેય કબુલ નથી”

ડીએનએ વિવાદ ફરીથી ગાજ્યો

બિહારના ડીએનએ અંગેનો વિવાદ ફરીથી સોશિયલ મીડિયા પર ગાજી રહ્યો છે.શું હતો આ વિવાદ? 2015ના ફેબ્રુઆરી મહિનામાં બિહારમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી નીતીશ કુમારે જીતન રામ માંઝીને મુખ્યમંત્રી બનાવ્યા હતા પરંતુ 278 દિવસ બાદ તેમનું રાજીનામું લઈ નિતેશ ફરીથી મુખ્યમંત્રી બની બેઠા. એ પછી બિહારમાં ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું,” મને થયું, અરે! મોદીનો શું ક્લાસ છે? એની તો થાળી ખેંચી લીધી. ગરીબના બેટાની થાળી ખેંચી લે પણ એક મહાદલિતની તો આખે આખી પૂંજી,આખેઆખા પુણ્ય ખેંચી લીધું ત્યારે ભાઈઓ અને બહેનો! મને લાગ્યું કે કદાચ તેમના ડીએનએમાં જ ગરબડ છે. તેમની આ ટિપ્પણી પછી નીતીશ કુમારે એ મુદ્દો ઉપાડી લીધો હતો. તેમણે મોદીને શબ્દો પાછા ખેંચવા અપીલ કરી હતી અને બિહારના હજારો લોકોના ડીએનએ સેમ્પલ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ ને મોકલવામાં આવ્યા હતા. નીતિશકુમારે કહ્યું હતું,” એમણે બિહારીઓના ડીએનએનું સરખી રીતે અધ્યયન નથી કર્યું. બિહારીઓનું ડીએનએ

Tags:

amit shahBJPELECTION 2024loksabha electionnitish kumarpm modi

Share Article

Other Articles

Previous

મકાનના ઝઘડામાં કાકાએ ભત્રીજાને ધારિયાના ઘા ઝીંક્યા

Next

મણિપુર ફરી અશાંત: બોટમાં આવેલા ઘુસણખોરોએ મકાનો સળગાવ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં ભાજપના કાર્યકરોને સંબોધીને કહ્યું, 2026માં મમતા સરકારને જનતા ઉખાડીને ફેંકી દેશે
4 કલાક પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
4 કલાક પહેલા
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
1 દિવસ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

રાજકોટમાં તસ્કરો બેફામ:એક જ દિવસમાં બે મકાન માંથી રૂ.2.22 લાખની ચોરી
ક્રાઇમ
1 વર્ષ પહેલા
POKમાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની ગોળી મારીને હત્યા
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને ચિંતામાંથી મુક્તિ મળશે, દિવસ અત્યંત શુભ રહેશે
ધાર્મિક
9 મહિના પહેલા
રાજકોટ : વૈશાલીનગરમાં 18 વર્ષીય યુવકનો ફાંસો ખાઈ આપઘાત
રાજકોટ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર