Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

કોરોનાની વેક્સિનથી હાર્ટ એટેકનું જોખમ નથી : અભ્યાસમાં થયો ખુલાસો

Mon, September 4 2023

દિલ્હીની જી.બી. પંત હોસ્પિટલમાં 1,578 દર્દીઓ પર આ સ્ટડી હાથ ધરવામાં આવ્યો હતો.

કોરોના મહામારી બાદ હાર્ટ અટેકના લીધે લોકોના મૃત્યુ વધ્યા છે. 10-12 વર્ષના બાળકોથી માંડીને ત્રીસી અને ચાળીસીમાં રહેલા લોકોને એકાએક હાર્ટ અટેક આવતાં મોત થયું હોવાના કિસ્સા વધી ગયા છે. લોકોના અચાનક હાર્ટ અટેકથી મૃત્યુ થઈ રહ્યા હોવાના લીધે એવી ચર્ચા શરૂ થઈ હતી કે કોરોનાની રસીના લીધે હૃદય પર ખરાબ અસર થઈ છે. હાર્ટ અટેક માટે કોરોનાની રસીને જવાબદાર માનવામાં આવી રહી હતી પરંતુ તેનું યોગ્ય પ્રમાણ નહોતું મળ્યું. હાલમાં જ હાર્ટ અટેક અને કોરોના વેક્સીન વચ્ચે સંબંધ છે કે, કેમ તે જાણવા માટે એક સ્ટડી હાથ ધરવામાં આવ્યો હતો. આ સ્ટડીનું પરિણામ કહે છે કે, કોરોનાની રસી લેવાથી હાર્ટ અટેક નથી આવતો.

PLOS વન નામના જર્નલમાં પ્રકાશિત થયેલા સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોનાની રસી લેવાથી હાર્ટ અટેકનું જોખમ વધતું નથી. આ સ્ટડીમાં હાર્ટ અટેકના 1,578 દર્દીઓના કેસનો ઈતિહાસ ફેંદવામાં આવ્યો હતો. દિલ્હીની જી.બી. પંત હોસ્પિટલમાં દાખલ થયેલા આ દર્દીઓની મેડિકલ હિસ્ટ્રીનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. ડૉ. મોહિત ગુપ્તાના વડપણ હેઠળ હાથ ધરવામાં આવેલા સ્ટડી મુજબ, કુલ દર્દીઓમાંથી 1086 એટલે કે 69 ટકા દર્દીઓએ રસી લીધી હતી, જ્યારે 31 ટકા એટલે 492 દર્દીઓએ રસી નહોતી લીધી. રસી લેનારા દર્દીઓમાંથી 1047 એટલે કે 96 ટકાએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા હતા જ્યારે 39 એટલે કે 4 ટકા દર્દીઓએ ફક્ત એક જ ડોઝ લીધો હતો.

સ્ટડીમાં જાણવા મળ્યું કે, વેક્સીન લીધા પછી ક્લસ્ટરિંગ હાર્ટ અટેક એટલે કે એકથી વધુ હૃદયરોગના હુમલા નહોતા થયા. “કુલ હાર્ટ અટેકમાંથી 185 કે 12 ટકા હૃદય સુધી લોહી પહોંચાડતી ધમનીઓના આંશિક કે સંપૂર્ણ બ્લોકેજને લીધે આવ્યા છે. રસી લીધાના 90થી 150 દિવસની અંદર હાર્ટ અટેક આવ્યા હતા. જ્યારે 175 કે 11 ટકા હાર્ટ અટેક રસી લીધાના 150થી 270 દિવસની વચ્ચે આવ્યા હતા. એક્યુટ માયોકાર્ડિયલ ઈન્ફાર્ક્શન એટલે કે એક પ્રકારના હાર્ટ અટેકના 28 કેસ જ રસી લીધાના પહેલા 30 દિવસમાં નોંધાયા હતા”, તેમ રિસર્ચરોનું કહેવું છે.

ડૉ. મોહિત ગુપ્તાએ કહ્યું કે, હાર્ટ અટેકના 1,578 દર્દીઓમાંથી 30 દિવસમાં વિવિધ કારણોસર મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 201 એટલે કે 13 ટકા હતી. તેમાંથી 116 એટલે કે 58 ટકા દર્દીઓ રસી લેનારા ગ્રુપમાંથી હતા. જ્યારે 85 એટલે કે 42 ટકા રસી લીધા વિનાના ગ્રુપના દર્દીઓ હતા. જી.બી. પંત હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટનું કહેવું છે કે, વેક્સીન લેનારા અને વેક્સીન ના લેનારા બંને ગ્રુપમાં અગાઉથી રહેલી બીમારીઓને ધ્યાનમાં લઈને હાર્ટ અટેકના કેસને ધ્યાને લેવામાં આવે તો રસી લેનારા દર્દીઓમાં 30 દિવસમાં નોંધાયેલા મૃત્યુની સંખ્યા ઓછી હતી. “વધતી ઉંમર, ડાયાબિટીસ અને ધૂમ્રપાન કરતાં લોકોમાં 30 દિવસના ગાળામાં મૃત્યુનું જોખમ વધુ હતું”, તેમ ડૉક્ટરે ઉમેર્યું.

30 દિવસથી છ મહિનાના ગાળામાં 75 દર્દીઓના મોત થયા જેમાંથી 43.7 ટકા દર્દીઓએ રસી લીધેલી હતી. ડૉ. ગુપ્તાનું કહેવું છે કે, રસી લેનારા દર્દીઓને હાર્ટ અટેક આવ્યો હોય તેની સંખ્યા ઓછી છે. “એક્યુટ માયોકાર્ડિયલ ઈન્ફાર્ક્શનના દર્દીઓમાં હાથ ધરાયેલો આ પહેલો સ્ટડી છે. જેના પરિણામને આધારે જાણવા મળ્યું છે કે, કોરોનાની રસી સુરક્ષિત છે ઉપરાંત બધા જ પ્રકારની બીમારીઓમાં લાંબા કે ટૂંકાગાળા સમય માટે અને 6 મહિનાના ફોલોઅપમાં પણ મૃત્યુનો દર ઘટાડે છે અને રક્ષાત્મક સાબિત થાય છે”, તેમ તેમણે ઉમેર્યું.

Share Article

Other Articles

Previous

જી -20 સમિટમાં ચીનના વડાપ્રધાન આવશે, સત્તાવાર જાહેરાત

Next

ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાનાં સેવાના મંદિર સમાન જનસંપર્ક કાર્યાલયનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈના હસ્તે લોકાર્પણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
1 મિનિટute પહેલા
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
15 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
16 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
17 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

રાજકોટ ના લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ . જુઓ વિડિઓ
રાજકોટ
2 વર્ષ પહેલા
અનન્યા પાંડેની વેબ સિરીઝ ‘કોલ મી બે’ની રિલીઝ ડેટ આવી સામે
Entertainment
1 વર્ષ પહેલા
લોધીકામાં બીમારીથી કંટાળી આધેડનો આપઘાત
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ઑસ્ટ્રેલિયન ક્રિકેટરોનો કરાયો `લાઈ ડિટેક્ટર’ ટેસ્ટ !!
સ્પોર્ટ્સ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર