ચંદ્રયાન ની સફળતા વૈજ્ઞાનિકોની મહેનત નું પરિણામ, મન કી બાતમાં મોદી
ઐતિહાસિક સિદ્ધિમાં દેશની મહિલાઓ અને કન્યાઓનું પણ અમૂલ્ય યોગદાન
દક્ષિણ આફ્રિકા અને ગ્રીસ દેશોના પ્રવાસ અને ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ વડાપ્રધાને આજે ‘મન કી બાત’માં દેશવાસીઓને સંબોધન કર્યું હતું અને ચંદ્રયાનની સફળતા પર દેશવાસીઓને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે આજે ભારત આમ કરનાર પ્રથમ દેશ બની ગયો છે અને આ બધું આપણા વૈજ્ઞાનિકોના કારણે શક્ય બન્યું છે.
પીએમએ કહ્યું કે ભારતના ચંદ્રયાનની સફળતાએ વિશ્વમાં ભારતનું નામ વધુ વધાર્યું છે. તેમણે કહ્યું કે ચંદ્રયાન આપણને શીખવશે કે કેવી રીતે અશક્યને શક્ય બનાવી શકાય છે.
આપણે મુશ્કેલીઓ અને નિષ્ફળતાઓથી ડરવું જોઈએ નહીં અને રોકાવું જોઈએ નહીં. તેમણે કહ્યું કે ચંદ્રયાનની સફળતામાં દેશની મહિલાઓ અને દીકરીઓએ ઘણું યોગદાન આપ્યું છે. આ મિશનમાં સેંકડો મહિલાઓએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે યોગદાન આપ્યું છે.
તેમણે વધુમાં કહ્યું, “ભારતની દીકરીઓ હવે અમર્યાદ ગણાતા અવકાશને પણ પડકાર ફેંકી રહી છે. જ્યારે કોઈ દેશની દીકરીઓ આટલી મહત્વાકાંક્ષી બની જાય તો તે દેશને વિકસિત થતા કોણ રોકી શકે.”