ગુજરાતની દુષ્કર્મ પીડિતને ગર્ભપાટની સુપ્રીમની મંજૂરી
ગુજરાત હાઇકોર્ટને લગાવી ફટકાર , લગ્ન પેહલા ગર્ભવતી થવું માનસિક તણાવ લાવે છે
ગુજરાતની દુષ્કર્મ પીડિતાને સુપ્રીમ કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી દીધી છે. કોર્ટે એવી ટિપ્પણી પણ કરી હતી કે લગ્ન પેહલા ગર્ભવતી થવું માનસિક અને શારીરિક આરોગ્યને હાનિ કરે છે. 27 સપ્તાહથી પણ વધુ સમય વીતી ગયા બાદ સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હતી.
અત્રે ઊલલેખનીય છે કે પીડિતાના મેડિકલ રિપોર્ટના આધારે ન્યાયમૂર્તિ નાગરતના અને ન્યાયમૂર્તિ ભૂઇયાએ કહ્યું હતું કે ગુજરાત હાઇ કોર્ટ દ્વારા ગર્ભપાત નહીં કરાવવાનો અપાયેલો આદેશ યોગ્ય નહતો.
અદાલતે એમ પણ કહ્યું હતું કે ભારતીય સમાજમાં વિવાહ બાદ ગર્ભાવસ્થા પરિવાર અને દંપતી માટે ખુશી નો અવસર હોય છે. પણ લગ્ન પેહલા ગર્ભાવસ્થા હાનિકારક બની રહે છે. ખાસ કરીને દુષ્કર્મના મામલામાં પીડિતા માટે તે અસહ્ય દર્દ હોય છે.
એક મહિલાનું યૌન ઊતપીડન દેખીતી રીતેજ ચિંતાજનક હોય છે. આવી સ્થિતિમાં ગર્ભવતી થઈ જવાથી તેની ચિંતામાં ખૂબ વધારો થાય છે અને માનસિક અસ્થિરતા આવી જાય છે.
ગર્ભપાત ની મંજૂરી આપવા સાથે અદાલતે એમ પણ ઠરાવ્યું છે કે જો ભ્રૂણ જીવિત મળે તો હોસ્પિટલ તેના જીવન માટે વ્યવસ્થા કરશે. રાજ્ય સુનિશ્ચિત કરશે કે બાળકને દત્તક આપવામાં આવે.