મધ્યપ્રદેશ ભાજપમાં સાધ્વી ઉમા ભારતીના ઘોર ઉપેક્ષા
જન આશીર્વાદ યાત્રામાં આમંત્રણ ન અપાયું
ઉમા એ કહ્યું,’ ભાજપ નર્વસ છે’
રામ જન્મભૂમિ આંદોલનના ફાયર બ્રાન્ડ મહિલા નેતા અને રાષ્ટ્રીય સ્તરે ભાજપને સતા પ્રાપ્તિ સુધી દોરી જનારા ઘટનાક્રમમાં મહત્વનું પ્રદાન આપનાર મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાધ્વી ઉમા ભારતીને ભાજપના આંતરિક રાજકારણમાં હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાની ઉપસ્થિતિમાં શરૂ કરાયેલી જન આશીર્વાદ યાત્રામાં પણ તેમને આમંત્રણ ન આપવામાં આવતા ભાજપનો આંતરિક કલહ સપાટી ઉપર આવી ગયો છે.
આ ઉપેક્ષાથી છંછેડાયેલા ઉમા ભારતીય કહ્યું હતું કે ભાજપના નેતાઓ નર્વસ છે. જો હું એ યાત્રામાં સામેલ હોત તો બધા લોકોનું ધ્યાન મારી ઉપર જ રહ્યું હોત. આ યાત્રા ના પ્રારંભે યોજાયેલ કાર્યક્રમમાં જ્યોતિરાદિત્યને આમંત્રણ અપાયો તેનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે હું પણ આમંત્રણને લાયક તો હતી જ. જ્યોતિરાદિત્યએ 2020 માં ભાજપને સરકાર બનાવવામાં મદદ કરી તે જ રીતે 2003માં મે જંગી બહુમતીથી મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર રચતી હતી. અંતમાં તેમણે કહ્યું કે મને આમંત્રણ મળ્યું હોત તો પણ હું એ યાત્રામાં જોડાઈ ન હોત.