મહત્વાકાંક્ષી નહીં, મિશન સાથે કામ કરવું જરૂરી: મોદી
એક ખાસ મુલાકાતમાં વડાપ્રધાને દિલ ખોલી વાતો કરી
વડાપ્રધાન મોદી એ મનીકંટ્રોલને આપેલી ખાસ મુલાકાતમાં દિલ ખોલીને વાતો કરી હતી અને કહ્યું હતું કે મહત્વાકાંક્ષી બનીને નહીં પણ મિશન સાથે કામ કરવામાં માનું છું.
જી-20 શિખર પેહલા એમણે એમ જાહેર કર્યું હતું કે સશક્ત મંચ નું નિર્માણ કારવાનું મારુ મિશન છેઅને હું તેમાં જનતાના સહકારથી આગળ વધી રહ્યો છું. આપના દેશમાં ખૂબ જ ટેલેન્ટ છે અને દુનિયાને આપવા માટે ઘણું છે. લોકોને બસ એક મંચની જરૂર છે જ્યાંથી તેઓ ચમત્કાર કરી શકે.
72 વર્ષે પણ તમે એટલા ચુસ્ત છો તેવા મુદ્દા પર એમણે કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિગત રીતે કોઈ મિશન માટે સક્રિય હોય છે ત્યારે સ્વસ્થ શરીર અને દિમાગને ઍક્ટિવ રાખવા માટે અનુશાસનની જરૂર હોય છે. જેનો હું બરાબર ખ્યાલ રાખું છું.
કોઈ મિશન માટે સમર્પિત થવાથી અનંત આશાવાદ અને ઊર્જાનું નિરંતર સ્ત્રોત બને છે. બિનજરૂરી વાતોથી દૂર રહવું જરૂરી છે જેથી તમે મહત્વની વાત અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો.