જમ્મુ-કાશ્મીર : આતંકીઓ સાથે ગોળીયુધ્ધમાં 1 જવાન શહીદ
- કૂલગામ પંથકમાં 3 આતંકી ઘૂસી આવ્યા બાદ સર્ચ ઓપરેશન
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
જમ્મુ-કાશ્મીરમાં શનિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે કૂલગામ નજીક મોદરગામમાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર બાદ કુલગામ જિલ્લામાં બે થી ત્રણ આતંકવાદીઓને શોધી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ગોળીયુધ્ધમાં એક જવાન ઘાયલ પણ થયો હતો.
આ એન્કાઉન્ટર એવા સમયે થયું હતું જ્યારે અમરનાથ યાત્રા ચાલી રહી છે. તેની શરૂઆત 29 જૂને અનંતનાગ જિલ્લાના પહેલગામ અને ગાંદરબલ જિલ્લાના બાલતાલના બેઝ કેમ્પથી થઈ હતી. 52 દિવસ સુધી ચાલેલી આ યાત્રામાં શનિવારે 5,800થી વધુ યાત્રાળુઓનો નવો જથ્થા આવી પહોંચ્યો હતો.
દરમિયાન, એન્કાઉન્ટર દરમિયાન ઘાયલ થયેલા સેનાના જવાનનું શનિવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટર કુલગામ જિલ્લાના મોદરગામમાં શરૂ થયું હતું.