ભડકામણા ભાષણ બદલ હરિયાણામાં ગુનો નોંધાયો
મહાપંચાયતમાં ઉશ્કેરણીજનક ઉચ્ચારણો થયા હતા
હરિયાણાના નુહમાં થયેલા હિંસક કોમી રમખાણો બાદ પલવાર ખાતે યોજાયેલી સર્વ હિંદુ સમાજ મહાપંચાયતમાં ભડકામણા અને ઉશ્કેરનીજનક ભાષણો આપવા બદલ પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે આ તોફાનો બાદ હરિયાણાના અનેક વિસ્તારોમાં મહાપંચાયતોના આયોજન થયા હતા. તેમાંથી કેટલીક પંચાયતોમાં મુસ્લિમોનો આર્થિક અને સામાજિક બહિષ્કાર કરવાના આહવાન કરવામાં આવ્યું હતું. તોફાનો બાદ થયેલી રેલીઓમાં તેમજ આવી પંચાયતોની સભાઓમાં થયેલા ભાષણોની સર્વોચ્ચ અદાલતે નોંધ લઇને એવી ઘટનાઓમાં ગુનો નોંધવાનો રાજ્ય સરકારને આદેશ કર્યો હતો.
એ દરમિયાન તોફાનને કારણે અટકી ગયેલી વૃજ મંડળ યાત્રા 28મી તારીખથી ફરી શરૂ કરવાનો પલવાર ખાતે મળેલી મહાપંચાયતમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. એ સમયે કેટલાક વક્તાઓએ સ્ફોટક વક્તવ્ય આપ્યા હતા. મુસ્લિમ બહુમતી ધરાવતા નૂહ માં હિન્દુઓને સ્વરક્ષણ માટે હથિયારોના લાયસન્સ આપવાના નિયમોમાં છૂટછાટ આપવાની માગણી કરવામાં આવી હતી.પોલીસે આ અંગે આઇપીસી કલમ 153 એ અને 505 શહીદ ની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.