મધ્યપ્રદેશના બાલિકા ગૃહમાં શું બન્યું ? જુઓ
કેટલી બાળાઓ ગાયબ થઈ ?
- ક્યાંની છે બાળાઓ ?
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં મંજૂરી વગર જ એક ગેરકાયદે ચાઇલ્ડ હોમ ચાલી રહ્યું હોવાના અહેવાલે ખળભળાટ મચાવી દીધો છે. આ ચાઈલ્ડ હોમ બાલિકા ગૃહમાંથી ગુજરાત અને રાજસ્થાન સહિતના કેટલાક રાજ્યોની 26 બાળકીઓ ગુમ થઈ ગઈ હોવાનો સનસનાટી મચાવતો મામલો સામે આવ્યો હતો. જેની જાણ થતાં જ પોલીસે એફઆઈઆર નોંધી હતી અને રાષ્ટ્રીય બાળ આયોગ પણ દોડતું થયું હતું. આ બાળ ગૃહનું નામ આંચલ ગર્લ્સ હોસ્ટેલ છે. તેમાં રહેતી બાળાઓની વય 6 થી 18 વર્ષ હોવાનું બહાર આવ્યું હતું.
રાષ્ટ્રીય બાલ આયોગના પ્રમુખ પ્રિયંક કાનૂનગોએ આ મામલાને લઈને મધ્યપ્રદેશના મુખ્ય સચિવ વીરા રાણાને પત્ર લખ્યો હતો. ભોપાલના પરવલિયા પોલીસ સ્ટેશન હેઠળના આ ક્ષેત્રમાં ગેરકાયદેસર બાળ ગૃહ ચલાવવામાં આવતું હતું.
બાલ અધિકાર આયોગના પ્રમુખે આચાનક ગૃહની મુલાકાત લઈને રજીસ્ટર ચેક કર્યું હતું ત્યારે 68 બાળકીઓ આ બાળગૃહમાં રહેતી હોવાની એન્ટ્રી મળી હતી પરંતુ તપાસમાં ફક્ત 41 જ બાળકીઓ મળી આવી હતી. આ બાળગૃહમાં ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, ઉપરાંત મધ્યપ્રદેશના સિહોર, રાયસેન, છિંદવાડા અને બાલાઘાટની બાળકીઓ પણ હતી. જોકે ગેરકાયદે રીતે ચાલતું હોવાને લીધે પોલીસે પણ આ બાળગૃહ સામે એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બાળગૃહનું નામ ‘આંચલ ગર્લ્સ હોસ્ટેલ’ છે. મામલાનો ખુલાસો થઈ જતાં તેનો સ્ટાફ અને મેનેજમેન્ટ રફુચક્કર થઇ ગયા હતા. પોલીસે 41 બાળકીને રેસ્ક્યૂ કરી બીજા બાળગૃહમાં શિફ્ટ કરી દીધી હતી. આ બાળકીઓની વય 6થી 18 વર્ષની વચ્ચે હોવાની જાણકારી મળી છે. આ બાળગૃહ પણ સુમસામ ખેતરોની વચ્ચે બનેલું છે. અહીંથી ગુમ બાળકીઓને લઈને માનવ તસ્કરીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અજય મેથ્યૂ નામની વ્યક્તિ આ બાળગૃહનું સંચાલન કરી રહ્યો હતો.